ઘરમાં આ મૂર્તિઓ રાખવાથી પૈસાની રેલમછેલ નક્કી,વાંચો હાલ જ 

ઘરમાં આ મૂર્તિઓ રાખવાથી પૈસાની રેલમછેલ નક્કી,વાંચો હાલ જ 

Share On

વાસ્તુ ટિપ્સ : ઘરમાં રાખો આ મૂર્તિઓ, થઇ જશે ધોધમાર પૈસાનો વરસાદ

ઘરની સજાવટ માટે વિવિધ પ્રકારની ડેકોરેટિવ વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવે છે. આમાંની કેટલીક મૂર્તિઓ દેવી-દેવતાઓની છે તો કેટલીક સુંદર જીવોની. પરંતુ આ મૂર્તિઓ રાખતી વખતે વાસ્તુ ટિપ્સનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે.થઇ જશે ધોધમાર પૈસાનો વરસાદ

 

વાસ્તુ નિષ્ણાતોનું માનવું છે કે ઘરમાં રાખવામાં આવેલ શણગારાત્મક મૂર્તિઓ પણ ઘરના વાસ્તુમાં મહત્વનો ભાગ ભજવે છે. જો ઘરમાં રાખવામાં આવેલ આ મૂર્તિનું ધ્યાન રાખવામાં ન આવે તો તેનાથી ઘરમાં નકારાત્મકતા આવે છે. આવો જાણીએ કઇ મૂર્તિ ઘરમાં રાખવી શુભ માનવામાં આવે છે.

હંસઃ- વાસ્તુ અનુસાર ઘરના ડ્રોઈંગ રૂમમાં હંસ યુગલોની મૂર્તિઓ રાખવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેનાથી આર્થિક લાભ થાય છે અને બતક યુગલની મૂર્તિ ઘરમાં રાખવાથી દાંપત્ય જીવનમાં સુખ આવે છે.

બુદ્ધ : બુદ્ધની મૂર્તિ ઘરમાં રાખવી સૌથી શ્રેષ્ઠ છે. તેનાથી સુખ શાંતિમાં વધારો થાય છે. માનસિક શાંતિ મળે છે.
ગાય- વાસ્તુ નિષ્ણાતો કહે છે કે ઘરમાં પિત્તળની ગાયની મૂર્તિ રાખવાથી સંતાન સુખ પ્રાપ્ત થાય છે. અને ઘરમાં રહેલી નકારાત્મક ઉર્જા દૂર થાય છે.

કાચબો – કાચબાને ભગવાન વિષ્ણુનું સ્વરૂપ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જ્યાં કાચબો હોય છે, ત્યાં દેવી લક્ષ્મીનો વાસ હોય છે. વાસ્તુ અનુસાર કાચબાને ઘરની પૂર્વ કે ઉત્તર દિશામાં રાખવો જોઈએ. સાથે જ ડ્રોઈંગ રૂમમાં ધાતુનો કાચબો રાખવાથી ધનમાં વધારો થાય છે.

માછલી – માછલીને ધન અને ઉર્જાનું પ્રતિક માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે ઘરની ઉત્તર-પૂર્વ દિશામાં માછલી રાખવાથી ઘરમાં સુખ-શાંતિ રહે છે. માછલી પિત્તળ અથવા ચાંદીની રાખી શકાય છે. તેનાથી ધનમાં વધારો થાય છે.

 

કલોલની A ટૂ Z લેટેસ્ટ અપડેટ્સ મેળવવા અહીં ક્લિક કરી અમારી એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો

અમારી યુટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરવાઅહીં ક્લિક કરો

અહીં ક્લિક કરીઅમારા ફેસબુક પેજ સાથે જોડાવ 

ભારત સમાચાર