કલોલમાં બળદેવજી ઠાકોરના હસ્તે ડાયાલિસિસ સેન્ટર ખુલ્લું મુકાયું

કલોલમાં બળદેવજી ઠાકોરના હસ્તે ડાયાલિસિસ સેન્ટર ખુલ્લું મુકાયું

Share On

 ડાયાલિસિસ સેન્ટર ખુલ્લું મુકાયું

કલોલના ધારાસભ્ય બળદેવજી ઠાકોરના હસ્તે  ડાયાલિસિસ સેન્ટર ખુલ્લું મુકવામાં આવ્યું હતું. શહેરના સામુહિક આરોગ્ય કેન્દ્રમાં દર્દીઓને ઉત્તમ સારવાર મળી રહે અને અમદાવાદ-ગાંધીનગર સુધી ધક્કા ના ખાવા પડે તે માટે  ડાયાલિસિસ સેન્ટરની શરુઆત કરાઈ છે. આ ડાયાલીસીસ સેન્ટરમાં હાલ પાંચ મશીનો કાર્યરત કરવામાં  આવ્યા છે. કિડની સંબંધી બીમારી સાથે સંકળાયેલા દર્દીઓને 30-40 કિમી ત્રિજ્યામાં જ ડાયાલિસિસની સુવિધા મળી રહે તે માટે ગુજરાત ડાયાલિસિસ પ્રોગ્રામ કાર્યરત કરાયો છે.

આ ઉપરાંત ધારાસભ્ય દ્વારા કલોલ નગરપાલિકાને એક એમ્બ્યુલન્સ પણ ફાળવવામાં આવી હતી. જેનું લોકાર્પણ કરાયું હતું. બળદેવજી ઠાકોરે કલોલમાં નવી સિવિલ હોસ્પિટલ બનાવવા પ્રયત્નો કરવામાં આવશે તેમ પણ જણાવ્યું હતું. આ કાર્યક્રમમાં કલોલ નગરપાલિકા પ્રમુખ ઉર્વશીબેન પટેલ, કાલોલ તાલુકા પંચાયત પ્રમુખ ધુળાજી ઠાકોર, નગરપાલિકા વિરોધપક્ષના નેતા સાદુલખાન પઠાણ, કોર્પોરેટરો, કાર્યકર્તાઓ અને મોટી સંખ્યામાં સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્યા હતા.

કલોલની A ટૂ Z લેટેસ્ટ અપડેટ્સ મેળવવા નીચે ક્લિક કરી અમારી એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો

કલોલ સમાચાર