ભડકો : કલોલ નગરપાલિકાનાં ઉપપ્રમુખ-સ્ટેડિંગ કમિટીનાં ચેરમેન સહીત 12નું રાજીનામું,લગાવ્યા મોટા આક્ષેપ

ભડકો : કલોલ નગરપાલિકાનાં ઉપપ્રમુખ-સ્ટેડિંગ કમિટીનાં ચેરમેન સહીત 12નું રાજીનામું,લગાવ્યા મોટા આક્ષેપ

Share On

ભડકો : કલોલ નગરપાલિકાનાં ઉપપ્રમુખ-સ્ટેડિંગ કમિટીનાં ચેરમેન સહીત 12નું રાજીનામું,લગાવ્યા મોટા આક્ષેપ

BY પ્રશાંત લેઉવા

કલોલ

 

કલોલ નગરપાલિકામાં છેલ્લા દસ દિવસથી અંધાધૂંધી મચી છે ત્યારે હવે નારાજ નગર સેવકોએ રાજીનામાં ધરી દીધા છે. કલોલ નગરપાલિકાના કારોબારી સમિતિના ચેરમેન પ્રકાશ વરઘડે તેમજ ઉપપ્રમુખ હિમાક્ષી બેન સોલંકી સહિત 12 સભ્યોએ નગરપાલિકામાં રાજીનામાં આપી દેતા ખળભળાટ મચી ગયો છે.

કલોલ નગરપાલિકામાં ધારાસભ્યની ગ્રાન્ટના વિકાસ કાર્યોને લઈને કારોબારી સમિતિના ચેરમેન પર હુમલો કરવામાં આવ્યો હતો. ત્યારબાદ કારોબારી સમિતિના ચેરમેન પ્રકાશ વરઘડેએ કલોલના ધારાસભ્ય ઉપર ગંભીર આક્ષેપ કર્યા હતા. પ્રકાશ વરઘડેએ ત્રણ દિવસ પહેલા કલોલ નગરપાલિકામાં કારોબારી સમિતિના ચેરમેન તેમજ સભ્ય પદેથી રાજીનામું આપી દીધું હતું તેમજ આજે તેમના સમર્થનમાં નગરપાલિકાના ઉપપ્રમુખ હિમાક્ષી બેન સોલંકી સહિતના 12 નગરસેવકોએ પોતાનું રાજીનામું આપ્યું છે.

કોણે કોણે રાજીનામુ આપ્યું ?

(૧) ઉષાબેન દિનેશભાઈ રાવળ વોર્ડ નંબર-૪

(૨) મુકુંદ જશવંતલાલ પરીખ વોર્ડ નંબર-૪

(૩) કિંજલબેન રીલેષભાઈ પરમાર વોર્ડ -૩

(૪) નિખિલભાઇ બંસીલાલ બારોટ વોર્ડ નંબર-૫

(૫) જલ્પાબેન ધર્મેન્દ્રભાઈ શાહ વોર્ડ -૫

(૬)હિમાક્ષી બેન સોલંકી વોર્ડ -૧૧

(૭) પટેલ અલ્પાબેન ભાવેશકુમાર વોર્ડ -૯

(૮)  રમીલાબેન ભગવાનદાસ પટેલ વોર્ડ -૧

(૯) શૈલેન્દ્રસિંહ વાઘેલા વોર્ડ – ૧

(૧૦) લક્ષ્મીબેન ભૂતડીયા વોર્ડ – ૧

(૧૧) રાઠોડ વિરેન્દ્ર સિંહ વોર્ડ – ૩

દલિત સમાજનાં નગરસેવિકાએ પક્ષ પ્રત્યે વફાદારી નિભાવી

કલોલ નગરપાલિકામાં ભાજપમાંથી અનુસૂચિત જાતિના પાંચ નગરસેવકો ચૂંટાઈ આવ્યા હતા. આ નગર સેવકોમાંથી ચાર નગરસેવકોએ રાજીનામું આપી દીધું છે જ્યારે વોર્ડ નંબર 5નાં  નગરસેવિકા પક્ષ સાથે રહ્યા છે. વોર્ડ નંબર પાંચમાં ભાજપના કર્મઠ કાર્યકર અને સમાજસેવક એવા નિલેશભાઈ આચાર્યએ પક્ષ તરફની પોતાની વફાદારી સાબિત કરી છે. તેમના ભાભી કલોલ નગરપાલિકામાં નગર સેવિકા છે. ભાજપમાં તેમણે કરેલી કામગીરીને આધારે નિલેશ આચાર્યને ટિકિટ ઓફર કરવામાં આવી હતી પરંતુ તેમના ત્રણ બાળકો હોવાને કારણે તેઓ ચૂંટણી લડી શક્યા નહોતા પરંતુ તેમણે ભાજપમાં રહીને પોતાની સમાજ સેવા ચાલુ રાખી હતી અને લોકોને પડતી સમસ્યાઓ પાર્ટીના ફોરમમાં રજૂ કરી હતી. આ ઉપરાંત કલોલ પૂર્વમાં લાઇબ્રેરી ઊભી કરવામાં તેમનો સિંહ ફાળો રહેલો છે.

નારાજ ચાલી રહેલા નવ નગરસેવકો શું સાચા હતા ??

કલોલ નગરપાલિકામાં નવા પ્રમુખની વરણી બાદ ડખો શરૂ થયો હતો નવા પ્રમુખ અને કારોબારી સમિતિના ચેરમેનની વર્ણીને લઈને નવનગલ સેવકોએ રાજીનામાં ધરી દીધા હતા જોકે તેમના રાજીનામાં સ્વીકારવામાં આવ્યા ન હતા તેમણે કારોબારી સમિતિ અને પ્રમુખ વિરુદ્ધ ખુલ્લો બળવો પોકાર્યો હતો ત્યારે હવે પ્રજામાં સવાલ થઈ રહ્યો છે કે આ નવ નગર સેવકો સાચા હતા કે નહીં ? આ નવ નગર સેવકોએ પોતાનો કક્કો ખરો કરાવીને એક રીતે જીત મેળવી હોવાની ચર્ચા પણ જામી છે.

જોકે કારોબારી સમિતિના ચેરમેન નું રાજીનામું ભાજપ પક્ષે નહીં લીધું તેમજ પોતાની જાતે આપી હોવાથી સમગ્ર ચર્ચા ઉપર વિરામ લાગી જાય તેવી પણ શક્યતા છે.

નગરપાલિકામાં કોંગ્રેસરાજ આવશે ?

કલોલ નગરપાલિકામાં 12 સભ્યોએ રાજીનામાં આપી દીધા છે તેમજ વધુ ત્રણ સભ્યોના રાજીનામાં પડવાની શક્યતા જોવામાં આવી રહી છે. બીજી તરફ કોંગ્રેસના 10 નગર સેવકો છે કલોલ નગરપાલિકામાં કુલ 44 નગરસેવકો છે ત્યારે જો રાજીનામું આપનાર અને કોંગ્રેસના નગર સેવકો મળી જાય તો કલોલ નગરપાલિકામાં કોંગ્રેસરાજની શકયતા નકારી શકાય નહીં.

 

કલોલ સમાચાર