કલોલ બેઠક માટે ભાજપમાંથી આ 19 મુરતિયાઓએ દાવેદારી નોંધાવી
કલોલમાં વિધાનસભાની ચૂંટણીને લઈને કલોલ બેઠક માટે ભાજપ (BJP) દ્વારા તડામાર તૈયારીઓ આદરી દેવામાં આવી છે. હાલ ભાજપ દ્વારા ટિકિટને લઇને સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.જેમાં 19 જેટલા મુરતિયાઓએ દાવેદારી નોંધાવી છે. જેમાં મુખ્ય દાવેદાર તરીકે રમેશજી જવાનજી ઠાકોર,લક્ષ્મણજી પૂંજાજી ઠાકોર,અનિલ પટેલ,નવીનચંદ્ર પટેલ,ગોવિંદલાલ પટેલ અને ચેતન પટેલ સહિતના લોકોએ દાવેદારી નોંધાવી હતી.
કલોલમાં દાવેદારોનો રાફડો ફાટ્યો હોવાથી ભાજપને ટિકિટ આપવામાં ભારે મથામણ કરવી પડે તેમ છે. બીજી તરફ ઉમેદવારની પસંદગી થઈ ન હોવાથી ભાજપ સંગઠન હાલ સુસ્ત જણાઈ રહ્યું છે.કલોલ બેઠક જીતવા માટે જાતિગત સમીકરણો ઘણા જ મહત્વનું પરિબળ છે. જે પક્ષ આ સમીકરણો પોતાની તરફે કરવામાં સફળ થશે તે જ પક્ષ જીત મેળવશે. જો બહારથી કોઈ પાટીદાર કે ઠાકોર ઉમેદવાર લાવવામાં આવ્યો તો તેની પર આયાતી લેબલ લાગી શકે છે. જેની સામે બળદેવજી ઠાકોર સ્થાનિક ઉમેદવાર હોવાથી તેમની જીતની શક્યતા ઘણી જ વધી શકે છે.
કલોલ બેઠકના દાવેદારના સમર્થકોએ અતિ ઉત્સાહમાં ફટાકડા ફોડી દેતા ટિકિટ કપાણીના વાવડ