કલોલમાં કોલેરા રોગચાળો, વાંચો કોલેરાથી કઈ રીતે બચશો ??

કલોલમાં કોલેરા રોગચાળો, વાંચો કોલેરાથી કઈ રીતે બચશો ??

Share On

કલોલ શહેરમાં દસ દિવસથી ફાટી નીકળેલ કોલેરાનો રોગચાળો અટકવાનો નામ નથી લઇ રહ્યો. કોરોના બાદ કલોલમાં કોલેરાએ પ્રકોપ વર્તાવ્યો છે. ગટરનું પાણી પીવાની પાઈપલાઈનમાં મિક્સ થઇ જતા આ રોગચાળો ફેલાયો હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.

કોલેરાથી કઈ રીતે બચશો ??

જયારે કોઈ વ્યક્તિ દૂષિત ખોરાક અથવા પાણીનો ઉપયોગ કરે છે ત્યારે કોલેરા થાય છે જે એક આંતરડાંને લાગતો ચેપી રોગ છે.

સામાન્ય રીતે કોલેરાના બેક્ટેરિયા પાણી અથવા ખોરાકમાં જોવા મળે છે,જેના દ્વારા કોલેરાનો ચેપ વ્યક્તિને અસર કરે છે.કોલેરા સામાન્ય રીતે અસુરક્ષિત પાણી,અસ્વચ્છતા અને અપૂરતી સ્વચ્છતાના લીધે થાય છે. કોલેરા બેક્ટેરિયમ ખારી નદીઓ અને દરિયાઇ પાણીના વાતાવરણમાં પણ જીવી શકે છે.

કોલેરાના નિવારણ માટે :  

પીવાનું પાણી સ્વચ્છ અને જંતુરહિત હોવું જોઈએ
સ્વચ્છ પાણી અને સાબુનો ઉપયોગ કરીને વારંવાર હાથ ધોવા જોઈએ
યોગ્યતમ સ્વચ્છતા અને સાફ-સફાઈ રાખવી
રાંધવાનું પૂરું થયા પછી તેને યોગ્ય રીતે ઢાંકવું

કલોલ સમાચાર