કલોલના આ ગામોમાંથી 300 ફૂટ રીંગ રોડ પસાર થતા જમીનમાલિકો અબજોપતિ બની જશે,વાંચો અંદર

ઔડા દ્વારા હવે નવો નકશો ડેવલપ કરવામાં આવી રહ્યો છે. જેમાં ઔડાએ નવો ડેવલ્પમેન્ટ પ્લાન બનાવવાનો નક્કી કર્યો છે 300 ફૂટનો રીંગ રોડ પણ મુકવામાં આવ્યો છે. નવો 300 ફૂટનો રિંગરોડ ક્યાં-ક્યાંથી પસાર થશે તે દર્શાવાઈ ચૂક્યું છે. નવો રિંગરોડ 300 ફૂટની પહોળાઈ અને 150 કિલોમીટરની લંબાઈ ધરાવે છે.
અમદાવાદમાં સરદાર પટેલ રીંગરોડ બન્યો ત્યારે જમીનોની કિંમતમાં ભારે ઉછાળો આવ્યો હતો. હવે વારો કલોલ પાસેના ગામડાઓનો છે. કલોલ તાલુકાના ખાખરીયા ટપ્પામાં આવતા મોટાભાગના ગામો કરોડપતિમાંથી અબજોપતિ બની જશે.જે ગામોની પાસેથી આ રિંગરોડ પસાર થશે તે ગામોની જમીનો સોનાની લગડી બની જશે. ત્યાં ધંધાકીય વિકાસ પણ એટલો થશે.
ધાનજ, પલસાણા, ઉસ્માનાબાદ, સબાસપુર, મોટી ભોંયણ,ખાત્રજ, સનાવડ, રણછોડપુરા, ઉન્નાલી પાસેથી નવો રીંગરોડ પસાર થશે. આ કારણે અમદાવાદ તરફનો ટ્રાફિક પણ આ રસ્તે ડાયવર્ટ થનાર છે. કલોલ શહેર પાસેથી જ રીંગ રોડ પ્પસર થતો હોઈ કલોલને પણ લાભ મળવાની શક્યતા છે.