આંબેડકર યુથ ક્લબ દ્વારા કલોલ પૂર્વમાં નોટબુક વિતરણ કરાયું
કલોલ શહેરમાં રેલ્વે પાછળ આવેલી સરકારી કુમાર અને કન્યા શાળા ના બાલવાટિકા થી ધોરણ 8 સુધીના કુલ 700 વિદ્યાર્થીઓને ચોપડા અને નોટબુક વિતરણ નું આયોજન આંબેડકર યુથ ક્લબ, (AYC )કલોલ દ્વારા કરવામાં આવેલ હતું.
આ આયોજન માં મુખ્ય દાતા લાલજી ગ્રુપ ના માલિક લાલજીભાઈ ગાંડાભાઈ પટેલ, અનિલ દિનેશભાઈ અસોડિયા, ડૉ.રજતભાઈ એન્જિનિયર, મનુભાઈ વાણીયા, ધીરજભાઈ રોહિત, બિપીનભાઈ સુવાળા, જીતુભાઈ કાપડિયા દ્વારા ઉદાર હાથે દાન આપવામાં આવેલ હતું. આ સિવાય રેલ્વે પૂર્વ ના અન્ય યુવાનો દ્વારા પણ દાન આપવામાં આવેલ હતું.
કાર્યક્રમ ની શરુઆત આવેલા મહેમાનો દ્વારા ડૉ. બાબાસાહેબ ના ફોટા ને ફૂલહાર અને દીપ પ્રાગટ્ય થી કરવામાં આવેલ. ત્યારબાદ ઉપસ્થિતિ તમામ દાતાશ્રીઓ નું ફૂલ ના બુકે, બાબાસાહેબ નું પુસ્તક અને છાલ ઓઢાડીને સન્માન કરવામાં આવેલ.
મુખ્ય મહેમાન એવા લાલજીભાઈ પટેલ દ્વારા બાબાસાહેબ ના વિચારો વિશે ખૂબ સારું પ્રવચન આપ્યું અને આવતા વરસે ચોપડા વિતરણ માટે ફરીથી દાન આપવાની કટિબદ્ધતા દર્શાવી.
સ્કુલ ની લોબી માં વિદ્યાર્થીઓને પંખા ની જરૂરિયાત હોય કાર્યક્રમ મા હાજર મહેમાનો અને અન્ય દાતા શ્રીઓ દ્વારા 20 પંખા લગાવી આપવાની બાહેધરી આપવામાં આવી.
સમગ્ર કાર્યક્રમનું એકરિંગ શ્રી મનુભાઈ વાણીયા સાહેબ દ્વારા કરવામાં આવ્યું.સ્કૂલ ના વિદ્યાર્થીઓ ને હાજર દાતાશ્રીઓ ના હસ્તે ચોપડા અને નોટબુક નું વિતરણ કરવામાં આવ્યું.
સાથે સાથે GTC ક્લાસ ના સંચાલક જીતુભાઈ , મહેન્દ્રભાઈ આર્ય, મનુભાઈ વાણીયા દ્વારા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું,
કુમાર શાળા અને કન્યા શાળા ના આચાર્ય દ્વારા આંબેડકર યુથ ક્લબ અને તમામ દાતાઓનો આભાર પ્રગટ કરવામાં આવ્યો.
છેલ્લે વિપુલ રોહિત દ્વારા આંબેડકર યુથ ક્લબ (AYC) વતી દાતાશ્રીઓ, સ્કૂલ ના આચાર્યશ્રી , શિક્ષકો, અને યુથ ક્લબ ના તમામ સભ્યો નો કાર્યક્રમ ને સફળ બનાવવા બદલ આભાર પ્રગટ કર્યો.
આંબેડકર યુથ ક્લબ(AYC ), કલોલના યુવાનો એવા વિપુલ રોહિત, કેતન પરમાર, ચિરાગ સોલંકી, જય પટેલ, કૃણાલ સુતરીયા, ચિરાગ છત્રાલા, અજય પરમાર, પિયુષ પરીખ, જીતેન્દ્ર સોલંકી, અનિલ અસોડીયા ખડે પગે હાજર રહીને કાર્યક્રમ નું ખૂબ જ સુંદર આયોજન કરેલ હતું.