સાવધાન કલોલ : વેરો નહીં ભરતા પાલિકાએ નળ જોડાણ કાપી નાખ્યા

સાવધાન કલોલ : વેરો નહીં ભરતા પાલિકાએ નળ જોડાણ કાપી નાખ્યા

Share On

 પાલિકાએ નળ જોડાણ કાપી નાખ્યા

કલોલમાં વેરા વસુલાત માટે નગરપાલિકા કડક બની છે. ગઈકાલે બાકીદારોએ વેરો નહીં ભારત પાલિકાએ નળ જોડાણ કાપી સીલ મારી દીધું હતું. જેથી હવે જેનો વેરો ભરવાનો બાકી છે તેમને ભય પેઠો છે. પાલિકાએ વેરા વસુલાતની ઝુંબેશ ચલાવતા લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો છે અને બાકી વેરો ભરવા પાલિકામાં દોટ મૂકી છે. આ સંજોગોમાં જો તમારો વેરો બાકી હોય તો નળ જોડાણ સહીતની સેવાઓ કપાઈ શકે છે.

કલોલની A ટૂ Z લેટેસ્ટ અપડેટ્સ મેળવવા નીચે ક્લિક કરી અમારી એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો
https://play.google.com/store/apps/details?id=mobi.androapp.kalolsamachar.c7819

વધુ માહિતી અનુસાર કલોલ હાઇવે ઉપર આવેલી ગણપતિ સોસાયટી તેમજ ગુજરાત હાઉસિંગ બોર્ડ સોસાયટીમાં છ નળના કનેક્શન કાપવામાં આવ્યા હતા પ્રાપ્ત વિગતો અનુસાર કલોલ પાલિકા દ્વારા રૂપિયા 14 કરોડનો વેરો ઉઘરાવવાનો બાકી છે જેને લઇને પાલિકા દ્વારા આ કામગીરી શરૂ કરવામાં આવી છે. અને બાકી વેરા ને નોટિસ પાઠવવામાં આવી છે.

પાલિકાએ 6000 જેટલા લોકોને વેરા માટે નોટિસ ફટકારી છે. વધુમાં કલોલ નગરપાલિકા વેરા વસુલાતની ઝુંબેશ ચાલુ રાખવાના મૂડમાં હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. જેથી ગમે ત્યારે બાકીદારોના ઘરે પાલિકા દ્વારા પહોંચી કાર્યવાહી કરવામાં આવી શકે છે.

કલોલ સમાચાર