કલોલમાં યોજાયેલ યુવા પરિવર્તન યાત્રાથી કોંગ્રેસનો માહોલ તેજ બન્યો
કલોલમાં યુથ કોંગ્રેસ આયોજીત યુવા પરિવર્તન યાત્રાને પહોળો જન પ્રતિસાદ મળ્યો હતો. આ યાત્રામાં ધારાસભ્ય બળદેવજી ઠાકોર, ઇન્દ્રવિજયસિંહ ગોહિલ, હરપાલસિંહ ચુડાસમા, અરવિંદસિંહ સોલંકી સહિત કોંગ્રેસના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ યાત્રામાં ભાજપને હરાવવા તેમજ ગુજરાતમાં કોંગ્રેસની સરકાર લાવવા માટે લોકોને અપીલ કરવામાં આવી હતી. સમગ્ર કલોલ શહેરના માર્ગો પર યુવા પરિવર્તન યાત્રા ફરી હતી ગુજરાતમાં ચૂંટણીનો માહોલ તેજ બન્યો છે ત્યારે કલોલમાં યોજાયેલા યુવા પરિવર્તન યાત્રાથી કોંગ્રેસની ચર્ચા શરૂ થઈ ગઈ છે. આ યાત્રાને કારણે લોકોમાં કોંગ્રેસ તરફે વાતાવરણ બનતું જોવામાં આવી રહ્યું છે. કલોલમાં ભાજપે હજુ સુધી કોઈ ઉમેદવાર જાહેર કર્યો નથી ત્યારે કોંગ્રેસે બળદેવજી ઠાકોરને રીપીટ કરી તેમને ચૂંટણી લડાવવાનો નિર્ધાર કરતા પ્રચાર પ્રસાર તેજ થઈ ગયો છે. કલોલમાં ફરેલી આ યાત્રામાં આશરે 300થી વધુ બાઈક તેમજ 100થી વધુ ગાડીઓ જોડાઈ હતી.