કલોલ પૂર્વના સામાજિક કાર્યકરના પ્રયત્નોથી લોકોને પડતી હાલાકીનો અંત આવ્યો 

કલોલ પૂર્વના સામાજિક કાર્યકરના પ્રયત્નોથી લોકોને પડતી હાલાકીનો અંત આવ્યો 

Share On

સામાજિક કાર્યકરના પ્રયત્નોથી લોકોને પડતી હાલાકીનો અંત આવ્યો

કલોલ પૂર્વમાં વોર્ડ નં ૫ માં થોડા મહિનાઓ પહેલાં પાણી ની લાઈન નાખવામાં આવી હતી જેના કારણે રોડ ટુટી ગયા હતા.ચામાસુ હોવાથી તાત્કાલિક નવા રોડ બને તેમ નહોતાં તેથી સામાજિક કાર્યકર નિલેશભાઈ આચાર્ય દ્વારા નગરપાલિકાને જાણ કરતાં સિદ્ધાર્થ સોસાયટી થી સૂર્ય નગર સોસાયટી સુધી જે રોડ તૂટી ગયો હતો તેના પર  રબીશ પાથરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

અત્રે નોંધનીય છે કે નિલેશભાઈ આચાર્ય પૂર્વ વિસ્તારમાં નાની મોટી સેવાકીય પ્રવુતિઓ કરતા રહેતા હોય છે. અગાઉ તેમણે  નવસર્જન સોસાયટીમાં રહેતાં સ્વ ઈશ્વરભાઈ પરમારનું ગઈકાલે દુઃખ અવસાન થયું હતું અને આજે સામાજિક લૌકિક વ્યવહાર માટે બેસણું રાખવામાં આવ્યું હતું.વરસાદ પડવાથી તેમના ઘરની આજુબાજુમાં ખૂબ ગંદકી થઈ ગઈ હતી જેનાં કારણે વરસાદી જીવાતનો ઉપદ્રવ વધી ગયો હતો.બેસણામાં આવનાર લોકોને કોઈ તકલીફ નાં પડે તે માટે સામાજિક કાર્યકર શ્રી નિલેશભાઈ આચાર્ય એ નગરપાલિકા ના માણસો દ્વારા સ્થળ પર રૂબરુ હાજર રહી સાફ સફાઈની સાથે દવાનો છંટકાવ પણ કરાવ્યો હતો.

કલોલ પૂર્વમાં ખાડાઓ બાદ હવે ભુવો પડતા અફરાતફરી 

 

કલોલની A ટૂ Z લેટેસ્ટ અપડેટ્સ મેળવવા અહીં ક્લિક કરી અમારી એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો

અમારી યુટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરવા અહીં ક્લિક કરો

અહીં ક્લિક કરી અમારા ફેસબુક પેજ સાથે જોડાવ 

કલોલ સમાચાર