કલોલમાં હર ઘર તિરંગા અભિયાન  અંતર્ગત કલોલ તાલુકા ભાજપની બેઠક યોજાઇ

કલોલમાં હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત કલોલ તાલુકા ભાજપની બેઠક યોજાઇ

Share On

કલોલમાં હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત કલોલ તાલુકા ભાજપની બેઠક યોજાઇ

 

ગાંધીનગર જિલ્લા ભાજપા અધ્યક્ષ અનિલભાઈ પટેલની અધ્યક્ષતામાં “હર ઘર તિરંગા” અભિયાન અંતર્ગત કલોલ તાલુકા ભાજપની બેઠક એપીએમસી કલોલ ખાતે યોજાઇ ગઇ હતી.

અનિલભાઈ પટેલે જણાવ્યું હતું કે આઝાદી કા અમૃત મહોત્સવ એ આઝાદીના 75 વર્ષની ઉજવણી નિમિતે ભારતના નાગરિકો, ભારતીય સંસ્કૃતિ અને સિદ્ધિઓના ગૌરવશાળી ઈતિહાસની ઉજવણી કરવા માટેની પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ શરુ કરેલી પહેલ છે. “હર ઘર તિરંગા” અભિયાન એ આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ ભારતની આઝાદીના 75 વર્ષની ગૌરવશાળી સિદ્ધિની યાદમાં પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી પ્રેરિત અનન્ય અભિયાન છે. આ અભિયાન સર્વ સ્પર્શી અને સર્વે વ્યાપક બને તે આપણા સૌનું નૈતિક દાયિત્વ બને છે.

પટેલે કહ્યું હતું કે સમગ્ર જિલ્લામાં પ્રત્યેક ઘર, ઓફિસ, સંસ્થાઓ સહિત તમામ જગ્યાએ આપણો રાષ્ટ્ર ધ્વજ આન બાન અને શાનથી નિયત કરાયેલ ફ્લેગ કોડને ધ્યાનમાં રાખી લહેરાય તે સુનિશ્ચિત કરવાનું છે. ૧૩ થી ૧૫ ઓગસ્ટ દરમ્યાન વીર બલિદાનીઓની શહીદ ગાથાનું પઠન, શૌર્ય ગાથાઓ અને દેશ ભક્તિનું અનન્ય વાતાવરણ સર્જાઈ તે દિશામાં એકનિષ્ઠ પ્રયત્નો કરવા તેમણે આહવાન કર્યું હતું.

આ સંદર્ભમાં તા. ૯ ઓગષ્ટના રોજ કલોલ તાલુકા ભાજપ ઉપક્રમે “તિરંગા” યાત્રા યોજાશે અને તેમાં તાલુકામાં સમાવિષ્ટ તમામ જિલ્લા અને તાલુકા પંચાયત સીટ આવરી લેવામાં આવશે. આ યાત્રા સાંતેજ થી પ્રારંભ થઇ વડસર, મોટી ભોયણ, શેરિસા, રામનગર, બોરિસણા, સિંદબાદ હોટલ, ઓળા ચોકડી, ઇસંડ, વડાસ્વામી, પાનસર, ડિંગુચા થઈને મોખસણ ખાતે સમાપન થશે. આ સમગ્ર યાત્રાનાં આયોજનની જવાબદારી જિલ્લા યુવા મોરચાના મહામંત્રી ભુલાભાઈ દેસાઈ, તાલુકા યુવા મોરચાના પ્રમુખ પાર્થભાઈ પટેલ, જિલ્લા યુવા મોરચાના મંત્રી હર્ષભાઈ પટેલ, તાલુકા ભાજપના મંત્રી જગદીશજી ઠાકોર દ્વારા વહન કરવામાં આવશે. આ બેઠકમાં જિલ્લા ભાજપા મહામંત્રી રમણભાઈ દેસાઈ, તાલુકા ભાજપ સંગઠનના હોદ્દેદારો અને અપેક્ષિત કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

કલોલ નગરપાલિકાની મોટી કાર્યવાહી : 75 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કર્યું 

કલોલ સમાચાર