થાઈલેન્ડ બાદ હવે મલેશિયા જવા માટે પણ ભારતીયોને વિઝાની જરૂર નહી,વાંચો કેમ ?

થાઈલેન્ડ બાદ હવે મલેશિયા જવા માટે પણ ભારતીયોને વિઝાની જરૂર નહી,વાંચો કેમ ?

Share On

ભારત અને ચીનના નાગરિકોને 1 ડિસેમ્બરથી મલેશિયામાં વિઝા ફ્રી એન્ટ્રી મળશે. આ માહિતી મલેશિયાના વડાપ્રધાન અનવર ઈબ્રાહિમે રવિવારે આપી હતી. ચીની અને ભારતીય નાગરિકો મલેશિયામાં 30 દિવસ સુધી વિઝા મુક્ત રહી શકે છે

મલેશિયા આર્થિક વૃદ્ધિને ટેકો આપવા માટે આવું કરી રહ્યું છે. જો તમે ભારતમાંથી કુઆલાલંપુર જાવ છો, તો ચેન્નાઈ-કોલકાતા જેવા શહેરોની ફ્લાઈટનો ખર્ચ લગભગ 12,000 રૂપિયા હશે. અગાઉ શ્રીલંકા અને થાઈલેન્ડે પણ વિઝા ફ્રી એન્ટ્રીની જાહેરાત કરી હતી.

છ દિવસ પહેલા સમાચાર આવ્યા હતા કે વિયેતનામ પણ ભારતના પ્રવાસીઓ માટે વિઝા ફ્રી એન્ટ્રી શરૂ કરી શકે છે. હાલમાં, જર્મની, ફ્રાન્સ, ઇટાલી, સ્પેન, ડેનમાર્ક, સ્વીડન અને ફિનલેન્ડ જેવા દેશોના નાગરિકો વિઝા વિના વિયેતનામમાં પ્રવેશ કરી શકે છે.

ભારત સમાચાર