સીટી બસ શરુ કરવા રજૂઆત
બાબાસાહેબ આંબેડકર ગૌરવ સમિતિ દ્વારા કલોલને અડીને આવેલ આરસોડીયા ગામ અને સોસાયટી વિસ્તારથી ગાંધીનગર જવા માટે સીટી બસ સેવા શરુ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. કલોલ નગરપાલિકાના પ્રમુખ અને ચીફ ઓફિસરને આપવામાં આવેલ આવેદન પત્રમાં લોકોને વધુ સારી રીતે ટ્રાન્સપોર્ટેશનની સુવિધા મળી રહે તે માટે બસ સેવા શરુ કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.
ગાંધીનગરથી આરસોડીયા ગામ ફક્ત 12 કિલોમીટર જ દૂર છે તેમજ કલોલની કેટલીક સોસાયટીઓનો પણ આરસોડીયામાં સમાવેશ થાય છે. આ સોસાયટી વિસ્તારમાં હજારો લોકો વસવાટ કરે છે તેમજ નોકરી ધંધા તેમજ અભ્યાસ અર્થે ગાંધીનગર જતા હોય છે.
આરસોડીયા,ટિંટોડા,પુંદરાસણ તેમજ વાવોલ રૂટ પર કોઈ એસટી બસ અને સ્થળ રીક્ષાઓ ના દોડતી હોવાને કારણે લોકોને મુશ્કેલી પડી રહી છે. જો આ બસ સેવા શરુ કરવામાં આવે તો લોકોને મોટો લાભ મળી શકે તેમ છે. જેને લઈને બસ સેવા શરૂ કરવા માંગ કરાઈ છે.
આ ઉપરાંત કલોલના પૂવૅ વિસ્તારમાં ગાંધીનગર-કલોલ પૂવૅ, આરસોડીયા સીટી બસ સેવા શરૂ કરવા માટે, કલોલ પૂવૅમા બની રહેલા પુસ્તકાલયને ‘સાવિત્રીબાઈ ફુલે પુસ્તકાલય’ નામ આપવા તેમજ કલોલના હાલના સાંકડા અંડર બ્રીજને પહોળો બનાવવા માટે લેખિત આવેદનપત્ર આપીને રજુઆત કરવામાં આવી. આ બાબતો વિષે શ્રી વિનોદભાઈ આનંદ અને મહેન્દ્રભાઈ આયૅ વગેરેએ આ બધી બાબતો વિષે રુબરુ રજુઆતો પણ કરી હતી.