કલોલમાં ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળ્યા,આ સ્થળોએ થી રથયાત્રા પસાર થઇ
કલોલની રથયાત્રા વખારીયા ચોકડી,અંબિકા હાઇવે થઇને જોય્ફુલ સ્કુલ ખાતે રોકાઈ છે. થોડા સમય બાદ વર્કશોપ ત્રણ રસ્તા, ત્રણ આંગળી સર્કલ,રેલ્વે ફાટક થઈ પૂર્વ વિસ્તારમાં પ્રવેશ કરશે. આ બાદ રેલવે ઓવરબ્રિજ, નવી શાક માર્કેટ તેમજ જ્યોતીશ્વર મહાદેવ અને ટાવર પહોંચશે.
કલોલમાં રથયાત્રાની શરૂઆત થઇ ચુકી છે. રથયાત્રા ખૂની બંગલા,નવજીવન રોડ અને સ્ટેશન રોડ પરથી પસાર થઇ ચુકી છે. આજે સમગ્ર કલોલ શહેરમાં રથયાત્રા પરિભ્રમણ કરશે. ભગવાન શ્રીકૃષ્ણ આજે તેમના ભક્તોને દર્શન આપશે.
ભારતભરમાં ગુજરાતી પંચાંગ પ્રમાણે અષાઢ સુદ બીજને દિવસે મનાવવામાં આવે છે. ભગવાન જગન્નાથનું મુળ મંદિર ઓરિસ્સાનાં જગન્નાથ પુરી શહેરમાં આવેલું છે. હરરોજ ભક્તોએ ભગવાનનાં દર્શન કરવા ભગવાન પાસે જવું પડે છે, પરંતુ રથયાત્રાનાં દિવસે ભગવાન સ્વયં સામે ચાલીને પોતાના ભક્તો પાસે જાય છે.
કલોલમાં રથયાત્રા જોવા લોકોની જામી હતી. લોકોએ ભગવાનના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. બીજી તરફ ઠેરઠેર લોકોએ સેવાકેમ્પનું પણ આયોજન કર્યું હતું.