કલોલના યુવાનને પૈસાની લેતીદેતીમાં અપહરણ કરી માર મરાયો

કલોલના યુવાનને પૈસાની લેતીદેતીમાં અપહરણ કરી માર મરાયો

Share On

કલોલના યુવાનને પૈસાની લેતીદેતીમાં અપહરણ કરી માર મરાયો

કલોલમાં બાઈકનું કામ કરતા યુવાનને અપહરણ કરીને ઝીંઝુવાડા લઈ જવામાં આવ્યો હતો. ગાયત્રી મંદિર સામેથી અપહરણ કરીને ઝીંઝુવાડા લઈ જઈને યુવાનને માર મારવામાં આવ્યો હતો. આ બાદ તેને કલોલ પાસે આવેલ છત્રાલ ઓવરબ્રિજ નીચે ઉતારી દેવાયો હતો. ઘટનાને પગલે યુવાને ત્રણ લોકો વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે.

પ્રાપ્ત વિગત અનુસાર ગાયત્રી મંદિર પાસે રહેતા રમેશભાઈ પટેલ બાઈક લે વેચનો ધંધો કરે છે. તેમના મિત્ર અનિરુદ્ધને ત્રણ બાઈક અને એક એકટીવા લેવાનું હોવાથી રમેશભાઈને અઢી લાખ રૂપિયા આપ્યા હતા. જેમાંથી બાઈકનો મેળ પાડ્યો નહોતો. જેને કારણે અનિરુદ્ધે 1.88 લાખ પરત માંગ્યા હતા. રમેશભાઈ પાસે રૂપિયાની સગવડ ન હોય તેમણે ચેક આપવાની તૈયારી દર્શાવી હતી.

તેઓ ચેક આપવા ગાયત્રી મંદિર ગયા ત્યારે અનિરુદ્ધ અને તેના મિત્રોએ રમેશભાઈનું અપહરણ કરી લીધું હતું અને ગાડીમાં બેસાડી ઝીંઝુવાડા લઇ ગયા હતા. અહી તેમણે રમેશભાઈ ફટકાર્યા હતા અને રૂપિયા આપવા કહ્યું હતું. આ બાદ તેમણે રમેશભાઈને છત્રાલ બ્રીજ નીચે ઉતારી ભાગી છૂટ્યા હતા. અપહરણની ઘટનાને કારણે રમેશભાઈએ ત્રણ વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

ગાંધીનગર-કલોલ વચ્ચે સીટી બસ શરુ,અંબિકા-સિંદબાદના રહીશોને ફાયદો

કલોલમાં રોડ વચ્ચે વાહન પાર્ક કરશો તો મેમો ફાટશે,અચૂક શેર કરો

 

કલોલ સમાચાર