કલોલ પૂર્વમાં વાંદરો કરડતા લોકોમાં ભયનો માહોલ, એક વ્યક્તિ સિવિલમાં દાખલ 

કલોલ પૂર્વમાં વાંદરો કરડતા લોકોમાં ભયનો માહોલ, એક વ્યક્તિ સિવિલમાં દાખલ 

Share On

કલોલ પૂર્વમાં આવેલ પાણીની ટાંકી પાસે વાંદરાઓ નો આતંક

કલોલ પૂર્વમાં આવેલ પાણીની ટાંકી પાસે વાંદરાઓ એ આતંક મચાવ્યો હતો અને સ્નેહ સાગર સોસાયટી માં રહેતાં મુકેશભાઈ પરમાર ના હાથે બચકું ભર્યું હતું વાંદરાએ ઘા એટલો ખતરનાક કયો હતો કે તેમને સારવાર અર્થે ગાંધીનગર સિવિલમાં ખસેડવા પડ્યા હતા.

 

આ વાતની જાણ સ્થાનિક આગેવાન નિલેશ આચાર્યને થતાં તેમણે નગરપાલિકામાં જાણ કરી હતી જેના કારણે ફોરેસ્ટ ખાતાના અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા અને વાંદરા પકડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.આ ઘટના બનતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે અને લોકો ઘરમાં પુરાઈ જવા મજબૂર થયા હતા.

 

ક્લોલના તમામ સમાચાર જાણવા નીચે આપેલ લિંક પર ક્લિક કરી અમારી એપ ડાઉનલોડ કરો

https://play.google.com/store/apps/details?id=mobi.androapp.kalolsamachar.c7819

 

કલોલ સમાચાર