કલોલ નગરપાલિકા દ્વારા આ સ્થળોએ રાષ્ટ્રધ્વજનું વેચાણ કરાશે, વાંચી લો
આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત ભારત સરકારે હર ઘર તિરંગા અભિયાન ચાલુ કરેલ છે. તે અંતર્ગત તારીખ 13 14 અને 15 ઓગસ્ટ ના રોજ ઘરે ઘરે તિરંગો ઝંડો લહેરાવવા સરકારે આહવાન કરેલ છે.નાગરિકો આ અભિયાનમાં જોડાય અને રાષ્ટ્રીય ઝંડા પ્રત્યે માન આપવા સારુ નાગરિકો આ અભિયાનમાં જોડાય તે માટે સરકાર દ્વારા ધ્વજ કલોલ નગરપાલિકા કચેરી ખાતે ઉપલબ્ધ કરાવેલ છે.
આ રાષ્ટ્રધ્વજ જાહેર જનતાને ઉપલબ્ધ થાય તે હેતુથી નીચે મુજબના સ્થળોએ ધ્વજના વેચાણ નગરપાલિકા દ્વારા ચાલુ કરેલ છે જેનો લાભ જાહેર જનતાએ લેવા નગરપાલિકાએ વિનંતી કરી છે .ધ્વજ વેચાણના સ્થળ તરીકે કલોલ નગરપાલિકા કચેરી,લાઇબ્રેરી બિલ્ડીંગ આંબેડકર હોલ રેલ્વે પૂર્વ, વોર્ડ નંબર 1 ની ઓફિસ વીમાદવાખાનાની બાજુમાં અને જૂની સિવિલ બિલ્ડિંગ ટાવર ચોક નજીક ધ્વજનું વેચાણ થશે.
કલોલમાં આખલા યુદ્ધ, અનેક વાહનને નુકશાન, એક વ્યક્તિ ઘાયલ
અમારી યુટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરવા અહીં ક્લિક કરો