મેઇન્ટેનન્સને કારણે આવતીકાલે કલોલ પૂર્વમાં વીજપુરવઠો બંધ રહેશે
કલોલના પૂર્વ વિસ્તારમાં આવેલ માધુપુરા ફીડરમાં મેઇન્ટેનન્સના કામને કારણે વીજ પુરવઠો બંધ રહેશે. ચોમાસાને કારણે વીજતંત્ર દ્વારા પ્રિ-મોન્સૂન કામગીરી હાથ ધરવામાં આવી છે. જેના ભાગરૂપે અવિરત વીજ પુરવઠો મળતો રહે તે માટે મેઇન્ટેનન્સ કરવામાં આવતું હોય છે. માધુપુરા ફીડરમાં આવતા રેલવે પૂર્વના વિસ્તારોમાં આવતીકાલે સવારે 8 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધી વીજળી આવશે નહીં તેની નોંધ લેવા જીઇબીએ જણાવ્યું હતું.
સોમવારના રોજ પણ રેલવે પૂર્વ અને બજારનાઅમુક વિસ્તારોમાં સમારકામ માટે વીજળી કાપવામાં આવી હતી.
કલોલની A ટૂ Z લેટેસ્ટ અપડેટ્સ મેળવવા અહીં ક્લિક કરી અમારી એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો
અમારી યુટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરવા અહીં ક્લિક કરો
અહીં ક્લિક કરી અમારા ફેસબુક પેજ સાથે જોડાવ
