પ્રાકૃતિક ખેતી આધારિત પપેટ શૉ ‘ કુદરત કા કરિશ્મા ‘નું આયોજન કરવામાં આવ્યું હતું…….
ગુજરાત યુનિવર્સિટીના પત્રકારત્વ વિભાગના એમએમસીજે સેમેસ્ટર 2ના વિદ્યાર્થીઓ દ્વારા પ્રાકૃતિક ખેતી આધારિત પપેટ શૉ ‘ કુદરત કા કરિશ્મા ‘નું આયોજન કરવામાં આવ્યું હતું. વર્તમાન સમયમાં કઠપૂતળી કળા ભૂલાતી જઈ રહી છે ત્યારે તેને જીવંત રાખવાના ભાગરૂપે વિદ્યાર્થીઓએ જાતે જ પપેટ તૈયાર કર્યા હતા.પપેટના વિવિધ પાત્રો દ્વારા સજીવ ખેતી કઈ રીતે કરવી અને તેના લાભ વિશે સમજણ અપાઈ હતી.
આ પપેટ શૉમાં મુખ્ય મહેમાન તરીકે સૃષ્ટિ ઇનોવેશનના કો-ઓર્ડીનેટર શ્રી રમેશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.તેમને વિદ્યાર્થીઓને પ્રાકૃતિક કૃષિના લાભથી અવગત કરાવ્યાં હતા.
કોમ્યુનિકેશન અને જર્નાલિઝમ વિભાગના વડા ડૉ.સોનલ પંડ્યા, આસિસ્ટન્ટ પ્રોફેસર્સ ડૉ.ભૂમિકા બારોટ અને ડૉ.કોમલ શાહે વિદ્યાર્થીઓના પ્રયાસને બિરદાવ્યો હતો.સંપૂર્ણ પપેટ શો તૈયાર કરવાથી લઈ અંતિમ પ્રસ્તુતિ સુધી જાણીતાં નાટ્યકાર શ્રી ચિરાગ પારેખ દ્વારા સચોટ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.