મેરેથોન દોડનો રૂટ જાહેર
કલોલમાં જેસીઆઈ દ્વારા આગામી 9 જાન્યુઆરીએ મેરેથોન રેસ યોજાનાર છે. જેને લઈને સ્પર્ધકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ મેરેથોન રેસ માટે દોડવાનો રૂટ પણ નક્કી કરી દેવામાં આવ્યો છે. વખારિયા શાળાથી શરુ થયેલ આ દોડ સમગ્ર શહેરનું ચક્કર લગાવીને વખારિયા સ્કૂલે પરત ફરશે.
કેવો છે રૂટ વાંચો ?
વખારિયા સ્કૂલથી શરુ થઈને આનંદમ સ્કૂલ,ટેક્નિકલ,એક્સિસ બેન્ક,સ્વામી વિવેકાનંદ ચોક,કવિતા સર્કલ,શારદા સર્કલ,બોરીસણા ગરનાળું,રાધે સ્વીટ,નાનું સ્વામિનારાયણ મંદિર,હનુમાન ચોક,મોટું સ્વામિનારાયણ મંદિર,જોયફુલ સ્કૂલ,ઔડા ગાર્ડન,આર.કે.હોસ્પિટલ,હાઇવે (કમળા અમૃત),વર્કશોપ,મહેન્દ્ર મિલ રોડ,આઈસ ફેક્ટરી,ખૂની બંગલા,ટાવરચોક,એન.કે ચોક,કવિતા સ્કૂલ,અંબાજી મંદિર,શારદા સર્કલ,કોબ્રા સર્કલથી વખારિયા ચાર રસ્તા પરત ફરશે.
જેસીઆઈ કલોલ દ્વારા મેરેથોન દોડ
કલોલમાં તારીખ 9 જાન્યુઆરીના રોજ જેસીઆઈ દ્વારા મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું છે. શહેરને સ્વચ્છ, સુઘડ બનાવવા જનજાગૃતિના હેતુથી તેમજ લોકોમાં હેઠળ પ્રત્યે જાગૃતિ આવે તેવા હેતુસર આ મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું છે.
જેસીઆઈ કલોલના પ્રમુખ રોનક ખમારે મોટી સંખ્યામાં નગરજનોને આ મેરેથોન દોડમાં જોડાવવા અપીલ કરી છે. આ માટેના રજીસ્ટ્રેશન ફોર્મ ફ્લોરા ટ્રેડિંગ કંપની, નવજીવન શોપિંગ સેન્ટર,નેવી ઓટો પ્યોર ફ્યુઅલ, એચપી પેટ્રોલ પંપ, આંબેડકર ત્રણ રસ્તા અને સહજાનંદ મેડિકલ સ્ટોર, સરદાર બાગ સામેથી મળી રહેશે.