કલોલનો સરદાર બાગ બનશે વધુ આકર્ષક, કઈ કામગીરી હાથ ધરાઈ,વાંચો

કલોલનો સરદાર બાગ બનશે વધુ આકર્ષક, કઈ કામગીરી હાથ ધરાઈ,વાંચો

Share On

કલોલનો સરદાર બાગ બનશે વધુ આકર્ષક

ગાંધીનગરના સાંસદ અમિત શાહ દ્વારા કલોલના સરદાર બાગના રીનોવેશન માટે એક કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. ગૃહમંત્રી અમિત શાહના હસ્તે બગીચાના કામનું ખાતમુહૂર્ત થયા બાદ હવે રીનોવેશન હાથ ધરવામાં આવ્યું છે. શહેરની મધ્યમાં આવેલ સરદાર બાગને નવું રૂપ આપવાની કામગીરી શરુ કરવામાં આવતા ગાર્ડન કમિટીના ચેરમેન ભુપેન્દ્ર ભાઈ પટેલ તેમજ પ્રદેશ ભાજપ નેતા નિલેશભાઈ આચાર્ય દ્વારા નિરીક્ષણ કરીને જરૂરી સૂચના આપવામાં આવી હતી.

હયાત બગીચાને નવું રૂપ આપવા માટે હાલ તડામાર કામ ચાલી રહ્યું છે. બગીચામાં નવી લાઈટનિંગ,વોક વે,ફુવારા તેમજ લેન્ડસ્કેપનું કામ આગામી સમયમાં હાથ ધરવામાં આવનાર છે.કલોલ પાલિકા દ્વારા નિર્મિત ગાર્ડનમાં  લેન્ડસ્કેપની  સુવિધા ઉભી કરવામાં આવશે. જ્યાં બાળકો સહીતના લોકો રમી તેમજ બેસી શકશે. બગીચામાં બે જેટલા ઝરુખા પણ  મુકવામાં આવશે જેથી આકર્ષણમાં વધારો થશે. સરદાર બાગમાં આવેલ પરબનું પણ નવનિર્માણ કરવામાં આવનાર છે. આ ઉપરાંત સરદાર પટેલની પ્રતિમાનું કાયાકલ્પ કરવામાં આવશે તેમજ ચેરમેને જણાવ્યું હતું.

કલોલથી પસાર થતા ભારતમાલા હાઇવેને લઈને ખેડૂતોએ કેમ લડત આદરી ?

 

 

કલોલની A ટૂ Z લેટેસ્ટ અપડેટ્સ મેળવવા અહીં ક્લિક કરી અમારી એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો

અમારી યુટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરવા અહીં ક્લિક કરો

અહીં ક્લિક કરી અમારા ફેસબુક પેજ સાથે જોડાવ 

 

કલોલ સમાચાર