કલોલમાં અમિત શાહ ક્યાંથી એન્ટ્રી લેશે,આ સ્થળોએ થશે સ્વાગત,જાણો સમગ્ર રૂટ 

કલોલમાં અમિત શાહ ક્યાંથી એન્ટ્રી લેશે,આ સ્થળોએ થશે સ્વાગત,જાણો સમગ્ર રૂટ 

Share On

 અમિત શાહ ક્યાંથી એન્ટ્રી લેશે

કલોલમાં ગૃહમંત્રી અને ગાંધીનગરના સાંસદ અમિત શાહ પધારી રહ્યા છે. તેઓ અહીં ઓવરબ્રિજનું ખાતમુહૂર્ત તેમજ સરદારબાગની કામગીરીનું ખાતમુહૂર્ત કરશે. તેમના સ્વાગત માટે  શહેરમાં પુરજોશમાં તૈયારી શરુ કરી દેવાઈ છે. તેમના આગમન સ્થળ તેમજ વિવિધ રસ્તાઓ પર ભાજપના ઝંડાઓ પણ લગાવી દેવાયા છે.

 

કલોલ આવતા અગાઉ અમિત શાહ મોટી ભોયણ એક કાર્યક્રમમાં હાજરી આપશે. તેઓ કલોલમાં બોરીસણા ગરનાળાથી પ્રવેશ મેળવશે. બોરીસણા ચોકડી નજીક તેમનું આગેવાનો દ્વારા ફુલહાર પહેરાવીને સ્વાગત કરવામાં આવશે. અહીંથી તેઓ અંબિકા હાઇવે થઇને વર્કશોપ જશે. વર્કશોપ ખાતે બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા થઇ કાફલો ત્રણ આંગળી સર્કલ તરફ આગળ વધશે. ત્યાંથી કલોલ નગરપાલિકાના ભારત માતા ટાઉનહોલ ખાતે ઓવરબ્રિજનું ખાતમુહૂર્ત કરવામાં આવનાર છે.

 

છેલ્લા કેટલાય વર્ષોથી પૂર્વની જનતા ફાટકથી કંટાળી હતી. ફાટકને કારણે ટ્રાફિક, સમય અને ઇંધણનો બગાડ થતો હતો. હવે આ ઓવરબ્રિજની કામગીરી શરુ થઇ જતા લોકો રાહતનો શ્વાસ લેશે. 741 મીટરનો આ પુલ ત્રણ આંગળી સર્કલથી માધુપુરા રોડ સુધી બનશે.

 

કલોલની A ટૂ Z લેટેસ્ટ અપડેટ્સ મેળવવા નીચે ક્લિક કરી અમારી એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો

 

કલોલ સમાચાર