અમિત શાહ ક્યાંથી એન્ટ્રી લેશે
કલોલમાં ગૃહમંત્રી અને ગાંધીનગરના સાંસદ અમિત શાહ પધારી રહ્યા છે. તેઓ અહીં ઓવરબ્રિજનું ખાતમુહૂર્ત તેમજ સરદારબાગની કામગીરીનું ખાતમુહૂર્ત કરશે. તેમના સ્વાગત માટે શહેરમાં પુરજોશમાં તૈયારી શરુ કરી દેવાઈ છે. તેમના આગમન સ્થળ તેમજ વિવિધ રસ્તાઓ પર ભાજપના ઝંડાઓ પણ લગાવી દેવાયા છે.
કલોલ આવતા અગાઉ અમિત શાહ મોટી ભોયણ એક કાર્યક્રમમાં હાજરી આપશે. તેઓ કલોલમાં બોરીસણા ગરનાળાથી પ્રવેશ મેળવશે. બોરીસણા ચોકડી નજીક તેમનું આગેવાનો દ્વારા ફુલહાર પહેરાવીને સ્વાગત કરવામાં આવશે. અહીંથી તેઓ અંબિકા હાઇવે થઇને વર્કશોપ જશે. વર્કશોપ ખાતે બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા થઇ કાફલો ત્રણ આંગળી સર્કલ તરફ આગળ વધશે. ત્યાંથી કલોલ નગરપાલિકાના ભારત માતા ટાઉનહોલ ખાતે ઓવરબ્રિજનું ખાતમુહૂર્ત કરવામાં આવનાર છે.
છેલ્લા કેટલાય વર્ષોથી પૂર્વની જનતા ફાટકથી કંટાળી હતી. ફાટકને કારણે ટ્રાફિક, સમય અને ઇંધણનો બગાડ થતો હતો. હવે આ ઓવરબ્રિજની કામગીરી શરુ થઇ જતા લોકો રાહતનો શ્વાસ લેશે. 741 મીટરનો આ પુલ ત્રણ આંગળી સર્કલથી માધુપુરા રોડ સુધી બનશે.
માનનીય સાંસદશ્રી અમિતભાઈ શાહનું કલોલમાં હાર્દિક સ્વાગત કરું છું અને તમને નમ્ર અપીલ પણ કરું છું કે જો તમારા આગમનથી જ આટલી જોરથી જોરથી સાફ સફાઇ થઇ શકતી હોય તો જે પ્રજા એ તમને વોટ આપીને ત્યાં બેસાડે છે એ પ્રજા માટે આવી રોજબરોજ સાફ-સફાઈ કેમ નહીં