સિંદબાદ બ્રિજ પાસે ગંદકી કરનારા તત્વો કોણ
કલોલના સિંદબાદ બ્રિજ નીચે ગંદકી,લારી ગલ્લાના દબાણ તેમજ ચા ની કીટલીની આસપાસના રહીશો ત્રસ્ત થઇ ગયા છે. સિંદબાદ બ્રિજ આસપાસ રહેલ ગંદકીને કારણે ગાયો સહીતનો ત્રાસ વધી ગયો છે. જેને લઈને રહીશો દ્બારા તંત્રમાં રજૂઆત કરવામાં આવી હોવા છતાં કોઈ ઉકેલ આવી શક્યો નથી.
અમદાવાદ-મહેસાણા હાઇવે પર આવેલ સિંદબાદ બ્રિજ નીચે ગેરકાયદેસર રીતે શાકભાજી તેમજ અન્ય વેચાણ કરતી લારીઓનો રાફડો ફાટી નીકળ્યો છે. બગડી જતી શાકભાજી ગમે ત્યાં ફેંકી દેવાતા ગંદકી સર્જાય છે જેને કારણે ગાયો સહીતના પશુઓ અડિંગો જમાવીને બેસી રહે છે. જેથી કોઈ વખત અકસ્માત સર્જાવવાનો ખતરો પણ રહે છે. અહીં આવેલ અનેક ચાની કીટલીઓ મોડી રાત્રી સુધી ખુલ્લી રહેતી હોય છે જેને કારણે મોટી સંખ્યામાં લોકો બેઠક જમાવી ટોળટપ્પા કરી રહેણાંક વિસ્તારમાં દુષણ ઉભું કરે છે.

ચાની કીટલી વાળા કચરાપેટીને સ્થાને જાહેરમાં જ ચાના કપ સહીતનો કચરો રોડ પર ફેંકતા હોવાથી આસપાસ ગંદકી ફેલાતી હોવાનો રહીશોએ આક્ષેપ કર્યો હતો.લોકોની સુખાકારી માટે બનાવેલ બ્રિજની નીચે પેદા થઇ રહેલ દુષણોથી સ્થાનિકો પણ કંટાળી ગયા છે.
કલોલની A ટૂ Z લેટેસ્ટ અપડેટ્સ મેળવવા અહીં ક્લિક કરી અમારી એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો
અમારી યુટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરવા અહીં ક્લિક કરો
અહીં ક્લિક કરી અમારા ફેસબુક પેજ સાથે જોડાવ