કલોલ પૂર્વની લાઇબ્રેરીમાં કોણે કેટલું દાન આપ્યું ? કોનું સન્માન કરાયું ?

 કલોલ પૂર્વની લાઇબ્રેરીમાં કોણે કેટલું દાન આપ્યું ? કોનું સન્માન કરાયું ?

Share On

કલોલ  પૂર્વની લાઇબ્રેરીમાં કોણે કેટલું દાન આપ્યું ?

રવિવારે કલોલ પૂર્વમાં આવેલ લાઇબ્રેરીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જેમાં પુસ્તકોનું દાન આપનાર દાનેશ્વરીઓનું સન્માન કરાયું હતું. કાર્યક્રમના અંતે પુસ્તકોના દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું જેમાં ક્લેરિસ કોર ગ્રુપના  કોન્ટ્રાક્ટર દિપકભાઈ ચૌહાણ દ્વારા 50000 ના પુસ્તકો,વણકર યુવા સમિતિ કલોલ દ્વારા 15000 ના પુસ્તકો,ડો.રજતભાઈ  એન્જિનિયર દ્વારા 11000 ના પુસ્તકો,AMC ના સોલિડ એન્ડ વેસ્ટ ના ડાયરેક્ટર હર્ષદરાય સોલંકી દ્વારા આજીવન પુસ્તકોના દાતા તરીકે સન્માન કરવામાં આવ્યું હતું..
આજના શુભ પ્રસંગે લાઇબ્રેરીમાં દાન કરવા માટે જે પુસ્તકો લઈને આવ્યા હતા તેમાં અરવિંદભાઈ પરમાર,ડો.બાબાસાહેબ ગૌરવ સમિતિના આગેવાનો, જયંતીભાઈ શ્રીમાળી અને જીવણભાઈ ચૌહાણ તે તમામ લોકોનું કલોલ નગરપાલિકા દ્વારા શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું.
  લાઈબ્રેરીની માંગણીથી લઈને લોકાર્પણ કાર્યક્રમના સુધીનું સફળ સંચાલન કરનાર પ્રદેશ ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના મંત્રી નિલેશ આચાર્ય ની આવેલ તમામ લોકોએ ભરપૂર પ્રસંશા કરી અભિનંદન પાઠવ્યા હતા.આ ઉપરાંત પ્રદીપભાઈ પરમાર દ્વારા શાલ ઓઢાડી તેમનું સન્માન કરાયું હતું.
કલોલની A ટૂ Z લેટેસ્ટ અપડેટ્સ મેળવવા નીચે ક્લિક કરી અમારી એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો
https://play.google.com/store/apps/details?id=mobi.androapp.kalolsamachar.c7819
આ કાર્યક્રમમાં કલોલ નગરપાલિકાના પ્રમુખ ઉર્વશી બેન પટેલ,કલોલ શહેર ભાજપ પ્રમુખ જે. કે પટેલ,પાટણ જિલ્લાના પ્રભારી ગોવિંદભાઈ પટેલ,પ્રદેશ મોરચાના ઉપાધ્યક્ષ મહેન્દ્રભાઈ બાવરીયા,પ્રદેશ ભાજપ લીગલ સેલના સંયોજક સૂર્યકાંત ભાઈ ત્રિવેદી સાથે કોર્પોરેટરો,ભાજપના હોદ્દેદારો તથા મોટી સંખ્યામાં યુવાનો,મહિલાઓ અને વડીલો ઉપસ્થિત રહ્યા હતા.

કલોલ સમાચાર