કલોલ નગરપાલિકા દ્વારા 15 દિવસથી દબાણ હટાવો ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે……
કલોલમાં દબાણ હટાવવાની કામગીરી ચાલી રહી છે. સ્ટેશન રોડ પર વેપારીઓએ ઓટલા બનાવી દબાણ કર્યા હતા. આ ઉપરાંત લારીઓ વાળા રોડ પર જ વેપાર કરતા હોવાથી તેમજ વાહનો અસ્તવ્યસ્ત પાર્ક કરવામાં આવતા લોકોને પસાર થવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. હજી અડધા કલોલમાં દબાણ હટાવવાનું કામ બાકી છે. આ સંજોગોમાં કલોલ નગરપાલિકા દબાણ ઝુંબેશનો સમય વધારી શકે છે.
કલોલ નગરપાલિકા દ્વારા 15 દિવસથી દબાણ હટાવો ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. આ દરમિયાન મટવાકુવા, કલ્યાણપુરા,ટાવર ચોક,કવિતા સર્કલ,વખારીયા ચાર રસ્તા અને વેપારીજીન, સ્ટેશન રોડ,ગુરુદ્વારા રોડ,નવજીવન રોડ, જેપી ગેટ પર દબાણ દુર કરવામાં આવ્યા છે.
જોકે હજી સુધી નંદલાલ ચોકથી અંબાજી મંદિર, નવજીવન શોપિંગ કોમ્પ્લેક્સ,સીટી મોલ,ગોલ્ડ પ્લાઝા, બીવીએમ ફાટકથી બળિયા ફાટક વચ્ચેના રોડ ઉપર પણ દબાણ થયું છે ત્યારે તેના વિરુદ્ધ કાર્યવાહી કરવા લોકોએ માંગ કરી છે. કલોલમાં દબાણ હટાવવા મુદ્દે નગરપાલિકા પર વ્હાલા દવલાની નીતિના પણ આક્ષેપ થઇ રહ્યા છે.