કલોલમાં કોલેરાનો ભય,આ વિસ્તારો કોલેરાગ્રસ્ત જાહેર કરાયા
કલોલમાં ફરીથી કોલેરાનો રોગચાળો ફાટી નીકળ્યો છે. શહેરના મટવાકુવા વિસ્તારને કલેક્ટર દ્વારા કોલેરાગ્રસ્ત વિસ્તાર જાહેર કરવામાં આવ્યો છે.અહીંથી કોલેરાના દર્દી મળી આવતા તાત્કાલિક અસરથી નિર્ણય લેવાયો હતો.
કલોલમાં વર્ષે કોલેરા નો રોગચાળો ફાટી નીકળતો હોય છે. બે વર્ષ અગાઉ રેલવે પૂર્વ વિસ્તારમાં કોલેરા ફાટી નીકળ્યો હતો જેમાં પાંચ વ્યક્તિના મૃત્યુ થયા હતા. આ બાદ હવે શહેરના કસબા તેમજ મટવા કુવા વિસ્તારમાં કોલેરાનો રોગચાળો ફાટી નીકળ્યો છે જેને કારણે તંત્ર સાબદૂ થઈ ગયું છે અને સમગ્ર વિસ્તારને કોલેરાગ્રસ્ત જાહેર કરી દીધો છે.
જુમ્મા મસ્જિદ,મટવા કુવા,બાંગ્લાદેશી છાપરા,અંજુમન વાડી વિસ્તાર અને ગુલિસ્તા પાર્કને અસરગ્રસ્ત જાહેર કરાયા હતા.લોકોને બહારનું ખાવા પીવાનું ટાળવા તેમજ પાણી ઉકાળીને પીવાની સલાહ આપવામાં આવી રહી છે.