કલોલમાં થયેલ ફાયરિંગની તપાસ કોને સોંપાઈ, વાંચો : શું છે સમગ્ર મામલો 

કલોલમાં થયેલ ફાયરિંગની તપાસ કોને સોંપાઈ, વાંચો : શું છે સમગ્ર મામલો 

Share On

પંચવટી વિસ્તારમાં ફાયરિંગ

કલોલ શહેર અને તાલુકા ક્રાઇમ રેટ વધી રહ્યો છે. ગઈકાલે રાત્રે પંચવટી વિસ્તારમાં આવેલ નાના સ્વામિનારાયણ મંદિર પાછળની સોસાયટીમાં ફાયરિંગની ઘટના નોંધાઈ છે જેને કારણે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. અમેરિકા મોકલવાના પૈસાની લેતીદેતીમાં એજન્ટ દ્વારા  ફાયરિંગ કરવામાં આવ્યું હતું. જેને લઈને ફરિયાદી વિષ્ણુભાઈએ કલોલ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
પોલીસ સ્ટેશનમાં ફરિયાદ
 રૂત્વીક વિજયભાઇ પારેખ રહે. મકાન નં. AA/૫૦૨, સરદાર પટેલ નગર શાસ્ત્રીનગર નારણપુરા, અમદાવાદ તેમજ તેના સાગરીત  રેયાને એ ફરીયાદીના ભત્રીજા તથા તેની પત્નિને રૂપીયા ૧,૧૦,૦૦,૦૦૨/ (એક કરોડ દસ લાખ પુરા) માં અમેરીકા મોકલી આપવાનું નક્કી કરી અમેરિકા પહોંચી ગયા પછી રૂપીયા ૧૦,૦૦,૦૪૦/(દસ લાખ પુરા) તથા તે પછી તેના પચાસ ટકા આપવાના અને ત્યાર પછી દોઢ મહિના પછી બાકીના પચાસ ટકા આપવાની વાતચીત થઇ હતી.
  આમ છતા આ ઉપરોક્ત આરોપીઓ તથા બીજા બે અજાણ્યા ઇસમો ફરીયાદીના ઘરે આવી ફરીયાદીના ભત્રીજો તથા તેની પત્નિ દિલ્લી ૫હોચે તે પછી રૂપીયા દસ લાખની માંગણી કરતા ફરીયાદીએ રોકડ રૂપીયા ૧૦,૦૦,૦૦૦/(દસ લાખ પુરા) બતાવી તેનો ભત્રીજો તથા તેની પત્ની અમેરિકા પહોંચી ગયા બાદ આપવાનુ જણાવતા  રૂત્વીક તથા તેની સાથે આવેલ આરોપી રેયાન તથા તેની સાથેના બીજા બે અજાણ્યા ઇસમો એકદમ ઉશ્કેરાઇ ગયા હતા.
કલોલની A ટૂ Z લેટેસ્ટ અપડેટ્સ મેળવવા નીચે ક્લિક કરી અમારી એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો
https://play.google.com/store/apps/details?id=mobi.androapp.kalolsamachar.c7819
  રેયાન નામના ઇસમે એકદમ ઉશ્કેરાઇ જઇ તેના કમરના ભાગેથી એક રિવોલ્વર કાઢી ફરીયાદીને મારી નાખવાના ઇરાદે રીવોલ્વર થી ફાયરિંગ  કરી ફરીયાદી ખસી જતા રીવોલ્વર ની ગોળી ફરીયાદી ને વાગેલ નહી, જેથી ફરિયાદી  વિષ્ણુભાઇ પટેલે આરોપીઓ વિરુદ્દ ફરિયાદ નોંધાવી છે. જેમાં એક આરોપી પકડાઈ ગયો હતો જ્યારે રેયાન સહિતના ત્રણ વ્યક્તિઓ નાસી છુટ્યા હતા.

કલોલ સમાચાર