કલોલ કોલેજના અધ્યાપક ડો.એચ.કે.સોલંકી ડો.આંબેડકર એવોર્ડથી સન્માનિત કરાયા

કલોલ કોલેજના અધ્યાપક ડો.એચ.કે.સોલંકી ડો.આંબેડકર એવોર્ડથી સન્માનિત કરાયા

Share On

ડો.એચ.કે.સોલંકી ડો.આંબેડકર એવોર્ડથી સન્માનિત

કલોલની શ્રી પી.એચ.જી.મ્યુનિ.આર્ટસ એન્ડ સાયન્સ કોલેજના પ્રોફેસર ડૉ.એચ.કે.સોલંકીને શિક્ષણની સાથે સાથે એમની સેવાકીય પ્રવૃત્તિઓ બદલ ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના કેબિનેટ મંત્રીશ્રી પ્રદીપભાઈ પરમારના કર કમળથી ગુજરાત રાજ્યનો ગૌરવશાળી ડૉ.આંબેડકર એવોર્ડ આપીને સન્માનિત કર્યા હતા.જેમાં બે લાખનો પુરસ્કાર,પ્રશસ્તિ પત્ર, બુકે અને શાલ ઓઢાડીને વિશાલ જનમેદની વચ્ચે શહીદ વીર મંગલ પાંડે હોલ અમદાવાદમાં બહુમાન કરવામાં આવ્યું હતું.

પોતે કોલેજના આંબેડકર ઓપન યુનિ.ના કો ઓરડી નેટર તરીકે અનેક અભ્યાસથી વંચિત રહી ગયેલા અને વધુ અભ્યાસ કરવા માગતા ઉમેદવારો તથા કર્મચારીઓ અને ગૃહિણીઓને ઉચ્ચ અભ્યાસની ઘેર બેઠાં તકો પૂરી પાડી છે.અરવિંદ મિલની અનું.જાતિ,જન જાતિની, ગ્રામ વિદ્યાપીઠ નારદીપૂરની અને આંગણ વાડીની બહેનોને ઘેર બેઠાં ઉચ્ચ અભ્યાસ કરાવીને એમની કારકિર્દી ઉજ્જવલ બનાવી છે.કોલેજમાં એન.એસ.એસ.ના પ્રોગ્રામ ઓફિસર તરીકે અનેક રાષ્ટ્રીય સેવાના કાર્યક્રમો કરેલા છે.

Exclusive : કલોલમાં ભાજપ કોંગ્રેસના આયાતીને ટિકિટ આપશે તેવી ચર્ચા તેજ બની

વારંવાર નબળા વર્ગોના ઉત્કર્ષ માટેના સેમિનાર વગેરે કરીને ડો.આંબેડકરના પુસ્તકો,ટ્રોફીઓ અને ફોટાનું વિતરણ કરીને ઘેર ઘેર ભીમ એવું શિક્ષણ અભિયાન ચલાવેલ છે.દરેક સમાજના જરૂરિયાતમંદ દીકરીઓ અને દીકરાઓના શિક્ષણ માટે વિનામૂલ્યે કોચિંગ વર્ગો વગેરે શરૂ કરીને યુવાધનને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ કરાવી છે. એમની સેવાકીય પ્રવૃત્તિઓ બદલ ૨૦૧૯ માં દિલ્હીથી ડો.આંબેડકર સેવાશ્રી નેશનલ એવોર્ડ પણ મળેલ છે.ગુજરાત સરકાર તરફથી આવો ગૌરવશાળી એવોર્ડ મળવા બદલ વિશાળ સંખ્યામાં સમાજ બંધુઓએ હાજર રહીને આ અવિસ્મરણીય પ્રસંગને દીપાવી એમની ઉમદા સેવાકીય પ્રવૃત્તિઓ બદલ અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવી હતી.

કલોલ સમાચાર