બેચરાજી બ્રોડગેજ લાઈનનું કામ પૂર્ણ થતા કલોલને એક નવી ટ્રેન મળશે
કલોલથી કટોસણ વચ્ચે બ્રોડગેજ લાઈનનું ખાતમુહૂર્ત કરાયું હતું. જેને કારણે કલોલ,કડી,બેચરાજી,કટોસણ વગેરેની જનતાને ભારે રાહત થશે. આ લાઈન શરુ થતા જ કલોલને વધુ એક ટ્રેન મળવાની સંભાવના છે.અમદાવાદથી બેચરાજી સુધી નવા પાટા નાંખ્યા બાદ આ ટ્રેન શરુ થઇ શકે છે. જેમાં અમદાવાદ બેચરાજી વાયા કલોલથી જવાની શક્યતા છે.
આ નવી ટ્રેન શરુ થશે તો કડીની જનતાને પણ ભારે ફાયદો થશે. બીજી તરફ બેચરાજી મંદિરે દર્શન કરવા જતા લોકોને પણ ફાયદો થશે. તો બીજી તરફ આંબલીયાસણ-વિજાપુર અને મોટી આદરજ-વિજાપુર વચ્ચે પણ ગેજ પરિવર્તનની કામગીરીની શરૂઆત કરવામાં આવી હતી. વધુમાં રેલવે કનેક્ટિવિટી માટે 16000 કરોડ રૂપિયાનું પ્રોજેક્ટ આજે ગુજરાતને મળ્યા છે.350 KM વધુ લાંબા ન્યૂ પાલનપુર-ન્યૂ મદાર સેક્શન ના ઉદ્દઘાટન થી ડેડીકેટેડ ફ્રેટ કૉરીડોર ને ગતિ પ્રાપ્ત થઈ છે.
કલોલ-કટોસણ લાઈનનું ખાતમુહૂર્ત કરાયું, કડી-બેચરાજીને થશે મોટો ફાયદો
ઉલ્લેખનીય છે કે કલોલથી બેચરાજી સુધી વર્ષોથી રેલવેનું કામ અટક્યું હતું. જોકે હવે મંત્રાલય દ્વારા નાણાંની ફાળવણી કરવામાં આવતા કામ ઝડપથી શરુ થવાની ગણતરી છે.મહેસાણા જિલ્લાનો બેચરાજી તાલુકો સ્પેશ્યલ ઇન્વેસ્ટમેન્ટ રીજીયનમાં આવે છે .
અમારી યુટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરવા અહીં ક્લિક કરો
1 thought on “ બેચરાજી બ્રોડગેજ લાઈનનું કામ પૂર્ણ થતા કલોલને એક નવી ટ્રેન મળશે”