રખડતી ગાયો થી ભય
કલોલ શહેર અને અંબિકા હાઈવે પર રખડતી ગાયોએ ખરેખર ત્રાસ વર્તાવ્યો છે. ઠેરઠેર રખડતી ગાયોને કારણે અકસ્માત થવાની પણ સંભાવના વધી છે. કલોલમાં અગાઉ પણ ઘણા બનાવો બની ગયા છે કે ગાય અને આખલાઓને કારણે લોકો ઈજાગ્રસ્ત અથવા મૃર્ત્યું પામ્યા હોય.
કલોલનો અંબિકા હાઇવે વિસ્તાર, બજાર વિસ્તાર,વર્ધમાન નગર, ટાવર,સિંદબાદ એરિયા, રેલવે પૂર્વ વિસ્તારમાં ગાયોનો ત્રાસ જ ખુબ વધી ગયો છે. આખલાઓ દીનદહાડે રોડ પર શિંગડા ભેરવતા હોય ત્યારે ઘણા રાહદારીઓ અને વાહનચાલકોને અકસ્માત થવાનો ભય રહેલ હોય છે.
કલોલ સમાચારની એપ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો : https://play.google.com/store/apps/details?id=mobi.androapp.gujjuinfo.c8839
કલોલ નગરપાલિકા દ્વારા થોડા સમય પહેલા રસ્તે રખડતી ગાયો પકડવાનું અભિયાન શરૂ કરવામાં આવી હતી. જોકે આજે પણ શહેર ના માર્ગી પર મોટા પાયે ગાયો રખડતી જોવા મળે છે. કલોલને રખડતી ગાયો મુક્ત કરવાનું અભિયાન પાણીમાં બેસી ગયું છે.
આરંભે શૂરા કહેવત કલોલ નગરપાલિકાને લાગુ પડે છે. કોઈપણ અભિયાન શરૂ કરવામાં આવે છે. પણ થોડા સમય પછી તેનું સુરસુરિયું થઇ જાય છે.
રખડતા ઢોરના ત્રાસને કારણે લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે. તંત્રની કામગીર માત્ર કાગળ પર હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે. જાહેર માર્ગો પર ગાયો રસ્તા વચ્ચે બેસેલી કે દોડતી જોવા મળે છે.
શહેરનો વિકાસ થતા ગૌચર ઘટી રહી છે આમ આ મુદો પણ રખડતા ઢોર માટે જવાબદાર છે
વેપારી મથક હોવા છતાં કલોલને લાંબા અંતરની ટ્રેનોનું સ્ટોપેજ નહીં
2 thoughts on “કલોલમાં રખડતી ગાયોનો ત્રાસ વધ્યો,પાલિકા તંત્ર ઊંઘમાં”