ચૂંટણીમાં કલોલનો ઉમેદવાર ઓબીસી કે એસસી સમાજનો
કલોલ વિધાનસભા ચૂંટણી રસપ્રદ બનશે તેવા એંધાણ અત્યારથી જ વર્તાઈ રહ્યા છે. બંને પક્ષ જીતવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. આ સંજોગોમાં ઉમેદવારો વચ્ચેની પસંદગી મહત્વની સાબિત થવાની છે. પ્રાપ્ત વિગતો અનુસાર કોંગ્રેસમાંથી ઓબીસી ઉમેદવાર બળદેવજી ઠાકોર નક્કી જ છે. જ્યારે ભાજપમાં ઉમેદવારોને લઈને ભારે બબાલ છે. જેથી કોઈ ઓબીસી અથવા એસસી ચહેરા પર પસંદગી ઉતારવામાં આવી શકે છે.
કલોલમાં ભાજપમાંથી હાલ પાટીદાર સમાજમાંથી મોટાભાગના નેતાઓ ટિકિટ માંગી રહ્યા છે.જોકે પાટીદારોમાં જૂથવાદ હોવાથી એકને ટિકિટ મળે તો બીજો નારાજ થાય તેમ છે. ખુદ ભાજપના જ ઉમેદવારને પક્ષના અસંતુષ્ટો હરાવે તેવો ઘાટ સર્જાઈ શકે છે. આ સંજોગોમાં ભાજપ હવે પાટીદારને બદલે ઓબીસી સમાજ અને ખાસ કરીને તેમાં કોઈ ઠાકોર ઉમેદવારને ટિકિટ આપે તેવી શક્યતા બની રહી છે.જો ઠાકોર ઉમેદવારને ટિકિટ મળે તો ભાજપના કમિટેડ પાટીદાર મતો સચવાઈ રહે તેમ છે.
બીજી તરફ ભાજપના એક રાષ્ટ્રીય નેતા થોડા દિવસ અગાઉ જ ગુજરાત પધાર્યા હતા. અહીં તેઓએ ગુજરાત એ ભાજપની પ્રયોગશાળા છે તેમ નિવેદન આપ્યું હતું. આમ કલોલમાં એસસી ઉમેદવારને ઉતારીને ભાજપ મોટો દાવ ખેલી શકે છે. હાલના સંજોગોમાં ઠાકોર સમાજમાંથી ઉમેદવારો ના નામ ટોપ પર ચાલી રહ્યા છે. બીજી તરફ કોંગ્રેસમાં બળદેવજી ઠાકોર જ ચૂંટણી લડશે. બળદેવજી ઠાકોરે પોતાની ચૂંટણી પ્રચારની તૈયારીઓ તેજ કરી દીધી છે જેથી ભાજપમાં પણ હવે ચિંતાનો માહોલ બન્યો છે.
આમ ગુજરાત પ્રયોગશાળા હોય તો કલોલમાં પણ ભાજપ પોતાનો પ્રયોગ કરી શકે છે. જો આમ થયું તો પરિણામ ચોંકાવનારા આવી શકે છે. મળતી વિગતો અનુસાર ભાજપ કોઈ આયાતી ઠાકોર ઉમેદવાર પણ લાવી શકે છે. આયાતી ઉમેદવાર આવશે તો પણ ભાજપના સ્થાનિક નેતાઓ વિરોધ કરે તેવા એંધાણ છે.
એક્સક્લુઝિવ : કલોલ બેઠક માટે અમિત શાહનો શું છે માસ્ટર પ્લાન ?
કલોલની A ટૂ Z લેટેસ્ટ અપડેટ્સ મેળવવા અહીં ક્લિક કરી અમારી એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો
અમારી યુટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરવા અહીં ક્લિક કરો