કલોલની જાસપુર કેનાલમાં કૂદીને પ્રેમી પંખીડાએ જીવન ટૂંકાવ્યું
કલોલના જાસપુર નજીક આવેલ નર્મદા કેનાલમાંથી પ્રેમી પંખીડા ની લાશ મળી આવતા ભારે ચકચાર ફેલાઇ ગઇ છે. અવારનવાર આ કેનાલ પાસેથી લોકોની લાશો મળી આવતી હોવાથી ફેન્સીંગ કરી યોગ્ય કાર્યવાહી કરવા લોકોએ માંગ કરે છે.
પ્રાપ્ત માહિતી અનુસાર કલોલ ના જાસપુર ગામ ની પાસે થી નર્મદાની મુખ્ય કેનાલ પસાર થાય છે. અહીં એક યુવક અને યુવતી કમરે દુપટ્ટો બાંધેલી હાલતમાં લાશ મળી આવી હતી. આ બંને જણા જાસપુર ના જ હોવાની વાત સામે આવી છે. ઘટનાની જાણ તાલુકા પોલીસને થતા પોલીસ કેનાલે દોડી આવી હતી તેમજ બંનેની લાશને પોસ્ટમોર્ટમ કરવા માટે દવાખાને ખસેડી હતી. ત્યારબાદ પરિવારજનોને પ્રેમી પંખીડા ની લાશ અપાઇ હતી. વિગતો અનુસાર બંને ઘણા સમયથી પ્રેમમાં હતા અને લગ્ન નહીં થાય તેવું લાગતા કેનાલમાં કૂદીને જીવન ટૂંકાવ્યું હતું.

કલોલની A ટૂ Z લેટેસ્ટ અપડેટ્સ મેળવવા અહીં ક્લિક કરી અમારી એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો
અમારી યુટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરવા અહીં ક્લિક કરો
અહીં ક્લિક કરી અમારા ફેસબુક પેજ સાથે જોડાવ
1 thought on “કલોલની જાસપુર કેનાલમાં કૂદીને પ્રેમી પંખીડાએ જીવન ટૂંકાવ્યું ”