કલોલ અંબિકા અકસ્માત કરનાર ડ્રાઇવર પકડાયો, એક ઘાયલનું મૃત્યુ
કલોલ ના અંબિકા નગર બસ સ્ટેન્ડ ખાતે બુધવારે સવારે એસટી બસ અને લક્ઝરી બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં છ લોકોના મૃત્યુ થયા છે. લક્ઝરી ચાલક બસ મૂકીને ભાગી ગયો હતો. બુધવારે સાંજે લક્ઝરી ચાલકની પોલીસે અટકાયત કરી લીધી હતી. લક્ઝરી ચાલકનું નામ છત્રસિંહ ભાટી રહે જોધપુર જણાવવામાં આવી રહ્યું છે.
બીજી તરફ અકસ્માતમાં ઘાયલ થયેલા મોહમ્મદભાઈ શરીફને વધુ સારવાર માટે ગાંધીનગર ખસેડવામાં આવ્યા હતા ત્યારબાદ તેમને અમદાવાદ લઈ જવાયા હતા અમદાવાદ સિવિલ ખાતે સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું અંબિકા નગર ખાતે થયેલ અકસ્માતમાં કુલ મૃત્યુ આંક છ થયો છે તેમ જ સાત લોકો ઘાયલ થયા છે. રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે મૃત્યુ પામનાર પરિવારજનોને ચાર લાખ રૂપિયા તેમજ અકસ્માતમાં ઘાયલ થનારના પરિવારજનોને 50,000 રૂપિયાની સહાય જાહેર કરી છે.