સદભાવના ફાઉન્ડેશન-વનવિભાગ દ્વારા કલોલ પૂર્વમાં કરડતા વાંદરાનું રેસ્કયુ કરાયું
કલોલના રેલવે પૂર્વ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી વાંદરો કરડવાની ઘટનાઓ સામે આવી હતી. જેને કારણે વનવિભાગ અને સદભાવના ફાઉન્ડેશન દ્વારા વાંદરો પકડવાનું અભિયાન હાથ ધર્યું હતું. સદભાવના ફાઉન્ડેશનની ટિમના હિતેશ પરમાર,હિતેશ પંચાલ, યોગેશ પરમાર, જીગર નાઈએ મજબૂત કામગીરી કરીને વાંદરો પકડ્યો હતો તેમજ તેને જંગલ વિસ્તારમાં છોડી પૂર્વના લોકોને રાહત આપી હતી.
કલોલ પૂર્વ રેલ્વે વિસ્તારમાં વાનરો ની પોતાના વિસ્તાર ની અને માદા વાનર ની રક્ષા માટે (ટેરેટરી ફાઈટ) અંદરો અંદર વાનર રો ની ફાઈટ દરમિયાન છેલ્લા ઘણા સમયથી આ વિસ્તારમાં ઘણાં માણસો ઉપર પણ વાનરો દ્વારા હુમલાઓ થયા ની ફરીયાદ વનવિભાગ ને મળતી હતી જેનાં માટે વનવિભાગ દ્વારા કોઈ પણ પ્રકારની બેદરકારી દાખવયા વગર વર્ષોથી જંગલી જીવો ને રેસ્કયુ કરી સહીસલામત વનવિભાગ ને સોંપવાનુ કામ કરતી સદભાવના ફાઉન્ડેશન ને મદદરૂપ થઈ હમેશાં ઘટના સ્થળે દોડી પહોંચ્યા હતા જેમાં આજ રોજ રેસ્ક્યુ કરવા ની જરૂરિયાત લાગતાં એક નર વાનર ને રેસ્કયુ કરી કલોલ વનવિભાગ ને સાથે રાખી જંગલ વિસ્તારમાં મુક્ત કરવામાં આવ્યો હતો.
કલોલ પૂર્વને વાંદરાઓથી બચાવો, એક મહિલાને બચકું ભરતા લોકોમાં ભય ફેલાયો
વાનરો દ્વારા માણસો ઉપર હુમલા ગુજરાત અને સમગ્ર ભારતમાં વધ્યા છે જેનું મુખ્ય કારણ કુદરતી રહેણાંક વિસ્તારમાં ઘટાડો. ખેતર વિસ્તારો મા ઘટાડો જેવા મુખ્ય કારણો છે જેના કારણે જંગલી પ્રાણીઓ માણસો સાથે રહેવા ટેવાઈ ગયા છે અને માણસો પણ જાનવરો પ્રત્યે લાગણી બંધાતી ઘણી વાર જોવા મળે છે પણ આમાં આપણે પ્રાણીઓ નું જંગલી પણુ જંગલી જીવન ભૂલી એમને ખોરાક પાણી પુરૂ પાડીએ છીએ જેના કારણે નજીક તા વધે છે અને એકાદ વાર આવા બનાવો બની જાય છે.
કલોલની A ટૂ Z લેટેસ્ટ અપડેટ્સ મેળવવા અહીં ક્લિક કરી અમારી એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો
અમારી યુટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરવા અહીં ક્લિક કરો