કલોલમાં ત્રિવેણી કાર્યક્રમ કરી જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી
કલોલના સામાજિક આગેવાન અને ગુજરાત પ્રદેશ ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના મંત્રી નિલેશભાઈ આચાર્યએ પોતાના જન્મદિવસ નિમિત્તે ત્રિવેણી કાર્યક્રમ કરી ઉજવણી કરી હતી.જેમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ” એક પેડ માં કે નામ ” અને ગાંધીનગર લોકસભાના લોકપ્રિય સાંસદ અને દેશના ગૃહ તેમજ સહકારિતા મંત્રી અમિત શાહના ગાંધીનગર લોકસભા,હરિયાળી લોકસભા અભિયાન અંતર્ગત તેમના જનસેવા કાર્યાલય પર વૃક્ષારોપણ કર્યું હતું.
રાષ્ટ્રીય સેવા યોજના દ્વારા આયોજિત શ્રી પી.એચ.જી.મ્યુનસીપલ આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજમાં રક્તદાન શિબિરમાં રક્તદાન કર્યું હતું અને અનુસૂચિત જાતિના જરૂરિયાત મંદ વિધાર્થીઓ ને વિનામૂલ્યે ચોપડાઓ નું વિતરણ કર્યું હતું.
વર્ષો થી નિલેશભાઈ તેમનો હોય કે તેમના પરિવારના કોઈ સભ્યનો જન્મદિને સેવા કાર્યો કરતાં હોય છે તે પ્રણાલી તેમણે ચાલુ રાખી હતી.આવી અવિરત સેવાથી પ્રભાવિત થઈ કલોલના યુવાનો પણ સેવા કાર્યોમાં જોડાઈ રહ્યાં છે.