મહાકુંભમાં ગાડીઓને નો એન્ટ્રી, VIP પાસ રદ કરાયા 

મહાકુંભમાં ગાડીઓને નો એન્ટ્રી, VIP પાસ રદ કરાયા 

Share On

મહાકુંભમાં ગાડીઓને નો એન્ટ્રી, VIP પાસ રદ કરાયા

બુધવારે પ્રયાગરાજ મહાકુંભમાં થયેલી ભાગદોડ બાદ આજે ભીડ ઓછી જોવા મળી છે. મેળામાં પ્રવેશ અને બહાર નીકળવાના માર્ગો અલગ કરવામાં આવ્યા છે. પ્રયાગરાજ શહેરમાં વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. મેળા વિસ્તારને સંપૂર્ણપણે નો-વ્હીકલ ઝોન જાહેર કરવામાં આવ્યો છે. એટલે કે અહીં કોઈ વાહનને પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે નહીં. આ ઉપરાંત, VVIP પાસ પણ રદ કરવામાં આવ્યા છે. આ નિયમો 4 ફેબ્રુઆરી સુધી અમલમાં રહેશે.

અખિલેશ યાદવે કહ્યું કે હું પીડિતોને મળવા નહીં જાઉં. જો હું તેમને મળવા જાઉં તો ભાજપ મારા પર રાજકારણ કરવાનો આરોપ લગાવશે. ડેપ્યુટી સીએમ બ્રજેશ પાઠકે કહ્યું- તપાસ માટે એક કમિશનની રચના કરવામાં આવી છે. દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

ડીજીપી પ્રશાંત કુમાર અને મુખ્ય સચિવ મનોજ કુમાર સિંહ મેળા વિસ્તારનું નિરીક્ષણ કરવા પહોંચ્યા છે. 29 જાન્યુઆરીના રોજ મૌની અમાવસ્યાના પ્રસંગે જ્યાં ભાગદોડ થઈ હતી ત્યાં તેઓ હાજર છે.

આજે બપોરે ૧૨ વાગ્યા સુધીમાં ૧.૧૫ કરોડ ભક્તોએ સ્નાન કર્યું છે. મંગળવાર અને બુધવારની રાત્રે મૌની અમાવસ્યાના પ્રસંગે ભાગદોડ થઇ હતી. આ અકસ્માતમાં 35 થી 40 લોકોના મોત થયા હતા. સરકાર દ્વારા અત્યાર સુધીમાં 30 લોકોના મોતની પુષ્ટિ કરવામાં આવી છે. તેમજ 60 લોકો ઘાયલ થયા છે.


ભાગદોડના એક દિવસ પછી ગુરુવારે મેળા વિસ્તારના સેક્ટર-22માં ઘણા મંડપ સળગી ગયા  હતા. ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આગ પર કાબુ મેળવ્યો હતો. જે જગ્યાએ આગ લાગી ત્યાં કોઈ જાહેર જનતા નહોતી, તેથી કોઈ જાનહાનિના અહેવાલ નથી.

ભારત સમાચાર