કલોલ પૂર્વના વિવિધ વિસ્તારોમાં તિરંગા વિતરણ કરાયું

કલોલ પૂર્વના વિવિધ વિસ્તારોમાં તિરંગા વિતરણ કરાયું

Share On

કલોલ પૂર્વના વિવિધ વિસ્તારોમાં તિરંગા વિતરણ કરાયું

સરકાર દ્વારા હર ઘર તિરંગા અભિયાન લોન્ચ કરાયું છે ત્યારે કલોલ પૂર્વમાં પણ તિરંગા વિતરણ કરાયું હતું. રક્ષાબંધનના પવિત્ર પર્વ નિમિત્તે “હર ઘર તિરંગા” અભિયાન અંતર્ગત કલોલ પૂર્વના વેપારીઓએ તિરંગા ફરકાવ્યા હતા.આ પ્રસંગે પ્રદેશ ભાજપના નેતા નિલેશભાઈ આચાર્ય ઉપસ્થિત રહ્યા હતા. બીજી તરફ કલોલ નગરપાલિકાના પ્રમુખ ઉર્વશીબેન પટેલે પણ રેલવે પૂર્વમાં સિદ્ધાર્થ શોપિંગ સેન્ટર ખાતે તિરંગા વિતરણ કર્યું હતું. તેમણે શહેરના અનેક વિસ્તારોમાં તિરંગો ફરકાવ્યો હતો.

બીજી તરફ કૃણાલ સુતરીયા કલોલ શહેર મંત્રી દ્વારા કેશવ નગર સોસાયટીમાં રાષ્ટ્રીય ધ્વજનું સન્માનપૂર્વક વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં લોકોએ રાષ્ટ્રધ્વજ લીધા હતા. કલોલ નગરપાલિકા દ્વારા પણ શહેરમાં અનેક સ્થળોએ ધ્વજ વિતરણ કેન્દ્ર શરુ કરવામાં આવ્યા છે જ્યાંથી નાગરિકો રાષ્ટ્રધ્વજ મેળવી શકશે.

કલોલ નગરપાલિકા દ્વારા આ સ્થળોએ રાષ્ટ્રધ્વજનું વેચાણ કરાશે, વાંચી લો 

કલોલની A ટૂ Z લેટેસ્ટ અપડેટ્સ મેળવવા અહીં ક્લિક કરી અમારી એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો

અમારી યુટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરવા અહીં ક્લિક કરો

અહીં ક્લિક કરી અમારા ફેસબુક પેજ સાથે જોડાવ 

કલોલ સમાચાર