કલોલ રથયાત્રામાં અચાનક ગાયો નું ટોળું આવી ગયું !!
કલોલમાં રથયાત્રા પૂર્ણ થઇ ગઈ છે. ભગવાન સાંજે 6:30 વાગ્યે પોતાના નિજધામ પહોંચી ચુક્યા હતા. કલોલ રથયાત્રાની કેટલીક અજાણી વાતો અમે તમારી સાથે શેર કરવા માંગીએ છીએ. એક જગ્યાએ ગાયો નું ટોળું આવી ગયું તો શું થયું, પોલીસની મહેનત કેવી રહી તેમજ 1551 ફૂટ લાંબો ધ્વજ આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો.
પંચવટી વિસ્તારમાં પ્રવેશી રહેલ રથયાત્રાના રૂટ પર ગાયો ના ટોળાએ દોડધામ કરતા ભયનો માહોલ વ્યાપ્યો હતો. રથયાત્રા ચાલુ જ હતી તે દરમિયાન સામેથી ગાયો નું ટોળું દોડતું આવી રહ્યું હતું. અચાનક ગાયો સામે આવી જતા લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. રથયાત્રામાં રહેલા યુવાનોએ ગાયોને આંતરી સોસાયટી તરફ વાળી દેતા ભક્તોએ રાહતનો શ્વાસ લીધો હતો.
શાંતિપૂર્ણ રથયાત્રા યોજાય તે માટે સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવાઈ હતી. આશરે 180થી વધુ પોલીસ જવાનોએ ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો. રથયાત્રાના રૂટ પર મોટી સંખ્યામાં પોલીસ ગોઠવાઈ ગઈ હતી. અસહ્ય ગરમી વચ્ચે પણ પોલીસ જવાનોએ રોડ અને હાઇવે પર ટ્રાફિક વ્યવસ્થા જાળવી રાખી હતી.

રથયાત્રામાં 1551 ફૂટ લાંબા ધ્વજ સાથે શૌર્ય યાત્રા પણ યોજાઈ હતી. આશરે એક કિલોમીટરથી વધુ લાંબી શૌર્યયાત્રા નગરજનોમાં આકર્ષણનું કેન્દ્ર બની હતી. આ યાત્રામાં કલોલ તેમજ આસપાસના ગામડાઓના હજારો યુવાન જોડાયા હતા. અખાડા મંડળ, મહિલાઓની ભજન મંડળી તેમજ વિવિધ વેશભૂષા બનાવીને નીકળેલા લોકોએ સમગ્ર રથયાત્રામાં આકર્ષણ જમાવ્યું હતું.
કલોલની A ટૂ Z લેટેસ્ટ અપડેટ્સ મેળવવા અહીં ક્લિક કરી અમારી એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો
અમારી યુટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરવા અહીં ક્લિક કરો
અહીં ક્લિક કરી અમારા ફેસબુક પેજ સાથે જોડાવ