અગ્નિપથ યોજનાના વિરોધમાં યુવાનોએ ભાજપ કાર્યાલય સળગાવ્યું, ઠેર ઠેર રોષ

અગ્નિપથ યોજનાના વિરોધમાં યુવાનોએ ભાજપ કાર્યાલય સળગાવ્યું, ઠેર ઠેર રોષ

Share On

અગ્નિપથ યોજનાના વિરોધમાં યુવાનોએ ભાજપ કાર્યાલય સળગાવ્યું

 

કેન્દ્ર સરકારે જાહેર કરેલ અગ્નિપથ યોજનાને કારણે યુવાનો ભારે ગુસ્સામાં છે. ત્યાર સુધી ટ્રેન અને બસો સળગાવતા યુવાનોએ હવે સત્તાધારી ભાજપ નું કાર્યાલય પણ સળગાવી દીધું છે. આ ઘટના બિહારમાં બની છે. બિહારમાં કેન્દ્ર સરકારની અગ્નિપથ યોજનાનો ઉગ્ર વિરોધ થઈ રહ્યો છે. આર્મી ભરતી ઉમેદવારોએ ગુરુવારે નવાદામાં બીજેપીના જિલ્લા કાર્યાલયમાં તોડફોડ કરી અને આગ ચાંપી દીધી હતી.

વારિસલીગંજથી બીજેપી ધારાસભ્ય અરુણા દેવીના કાફલા પર પણ હુમલો કરવામાં આવ્યો હતો. રોષે ભરાયેલા યુવકોએ મહિલા ધારાસભ્યની કાર પર પથ્થરમારો કરીને કાચ તોડી નાખ્યા હતા. યુવાનોએ નવાદા જિલ્લા ભાજપ કાર્યાલય પર પણ પથ્થરમારો કર્યો હતો. જેના કારણે ઓફિસના કાચ તૂટી ગયા હતા. ત્યારબાદ ઓફિસને આગ ચાંપવામાં આવી હતી.

ઇન્ડિયન આર્મીની અગ્નિપથ યોજના શું છે, યુવાનોને કઈ રીતે મળશે નોકરી, ક્લિક કરી વાંચો વિગતે 

બિહારના અનેક જિલ્લાઓ અગ્નિપથની આગમાં સળગી રહ્યા છે. દેખાવકારોએ ત્રણ દિવસમાં અનેક વાહનોને આગ લગાડી અને ઘણી ટ્રેનોને પણ આગ ચાંપી દીધી. બગડતી પરિસ્થિતિને જોતા બિહાર સરકારે રાજ્યના 15 જિલ્લાઓમાં ઈન્ટરનેટ સેવા સ્થગિત કરી દીધી છે.ઈન્ટરનેટ સેવા સ્થગિત કરવાનો આ આદેશ આવતીકાલ સુધી એટલે કે 19 જૂન સુધી લાગુ રહેશે.

 

 

કલોલની A ટૂ Z લેટેસ્ટ અપડેટ્સ મેળવવા અહીં ક્લિક કરી અમારી એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો

અમારી યુટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરવા અહીં ક્લિક કરો

અહીં ક્લિક કરી અમારા ફેસબુક પેજ સાથે જોડાવ 

ભારત સમાચાર