કલોલની માં શાંતનું રેસિડેન્સી ખાતે ધમ્મ ચક્ર પ્રવર્તન દિન ઉજવાયો

કલોલની માં શાંતનું રેસિડેન્સી ખાતે ધમ્મ ચક્ર પ્રવર્તન દિન ઉજવાયો

Share On

કલોલની માં શાંતનું રેસિડેન્સી ખાતે ધમ્મ ચક્ર પ્રવર્તન દિન ઉજવાયો

 

BY પ્રશાંત લેઉવા

 

કલોલ : કલોલ ખાતે 21 જુલાઈના રોજ બૌદ્ધ વિહાર, મા શાંતનું રેસિડેન્ટ, પાણીની ટાંકી પાસે, પૂર્વ વિસ્તારમાં ‘ધમ્મ ચક્ર પ્રવર્તન દિન ‘ નો સુંદર કાર્યક્રમ યોજાયો હતો.  અષાઢી પૂર્ણિમા એટલે કે બૌદ્ધ જગતમાં ખુબ જ મહત્વનો દિવસ ગણાય છે. 2500 વરસ પહેલા આજના પવિત્ર દિને સિદ્ધાર્થમાંથી બુદ્ધ બનેલા તથાગત સમ્યક્ સંબુદ્ધ ભગવાન બુદ્ધે ઉત્તર પ્રદેશના કાશી પાસેના સારનાથમાં પોતાના સાથી એવાં પાંચ પરિવ્રજકોને સૌ પ્રથમ વખત ઉપદેશ (ધમ્મદેશના) આપ્યો હતો. તેથી આ પ્રસંગને ધમ્મચક્ર પ્રવર્તન દિન તરીકે તથા ગુરુ પૂર્ણિમાના નામે મનાવવામા આવે છે. તેથી કલોલમાં રહેતાં અનેક બૌદ્ધ અનુયાયીઓએ હર્ષોલ્લાસ સાથે આ પ્રસંગની ઉજવણી કરી હતી. બંને ધમ્મચારી અમૃતભદ્રજી તથા જીનસિધ્ધિજીએ તથા ધમ્મમિત્ર સુગતજી તેમજ પ્રબુદ્ધ શ્રેષ્ઠી આયુષ્માન મહેન્દ્રભાઈ આર્ય સાહેબે પ્રસંગોચિત પ્રવચન કરી સૌને મુગ્ધ કરી દીધા હતાં.

મહિલાઓ દ્વારા ત્રીશરણ પંચશીલનું સામૂહિક સંઘાયન કરાયુ હતું. આયુષ્માન વિનોદભાઈ આનંદ સાહેબે ઉપસ્થિત બૌદ્ધ પરિવારજનોને ખીર દાન કર્યું હતું. તથા તેઓની ઓફિસ કાર્યક્રમ માટે ખુલ્લી મૂકી સહયોગ કર્યો હતો. હર ઘર આંબેડકર અભિયાનના પ્રણેતા ચીમનશીલ સમ્રાટ તરફથી પુસ્તકો અર્પણ કરવામાં આવી હતી. અનેક લોકોએ કાર્યક્રમના આયોજન ખર્ચ પેટે રૂ. ૮૫૦/- દાન પાર્મિતા પાઠવી હતી અને કાર્યક્રમની સફળતા માટે જહેમત ઉઠાવી હતી.

 

કલોલના પ્રસિદ્ધ બૌદ્ધ અનુયાયી, આગેવાન, પ્રચારક, વિચારક  અને લેખક કાલકૃત જનબંધુ કોસંબીજીના પુત્ર આયુષ્માન મૃણાલ પારકર તથા પુત્રવધુ સરજુ પારકર દ્વારા જનબંધુજી લિખિત પુસ્તકો સૌ ઉપસ્થિતોને ભેટ અર્પણ કરાયા હતા. વિપુલભાઇ મંડપ ડેકોરેશનવાળા તરફથી નજીવા ભાવે ખુરશી ટેબલ સહિતની સેવા મળી હતી. ધમ્મમિત્ર મનોજ બૌદ્ધ દ્વારા ખીર દાન અંગે સરસ માહિતી આપવામાં આવી હતી. ધમ્મમિત્ર શૈલેષ શાક્યજી તરફથી દિક્ષાધામ માલવણ ખાતે ૨૦૦ વૃક્ષો બૌદ્ધ અનુયાયીઓના સાથ સહયોગથી વાવવામાં આવ્યા, ચીમનશીલ સમ્રાટજીએ ફ્રિજ દાન કર્યું તે સૌનું પુણ્યનુંમોદન કરવામાં આવ્યું હતું.

 

 નવીનભાઈ (છત્રાલ) તરફથી મહેમાનોને ચોપડા આપી સન્માનિત કરવામાં આવેલ.તેમજ ચીમનશીલ દ્વારા ‘ બુદ્ધ અને તેમનો ધમ્મ’ પુસ્તિકાઓ બૌદ્ધ અનુયાયીઓને સપ્રેમ ભેટ અર્પણ કરવામાં આવી હતી. શૈલેષ શાક્યએ ધમ્મપાલન ગાથાનું સંઘાયન કરાવ્યું હતું. ઉપરાંત સૌ ઉપસ્થિત બૌદ્ધ અનુયાયી સભ્યોએ પંચાંગ પ્રણામ કર્યા હતા. ફોટોગ્રાફીની કામગીરી માસ્ટર બ્લાસ્ટર ધ્રુવએ સંભાળી લીધી હતી અને સાઉન્ડ સિસ્ટમ માસ્ટર લલિત શાક્યએ પૂરી પાડી હતી. હિતેશભાઈએ પીવાના પાણીની વ્યવસ્થા કરી હતી. સમગ્ર કાર્યક્રમ દરમિયાન સફળ સંચાલન આયુષ્માન નરેન્દ્ર આનંદ (શક્તિભાઈ) એ કર્યું હતું.

કલોલ સમાચાર