માફિયા અતીક અહેમદે 19 વર્ષ અગાઉ તેના મૃત્યુ વિશે કેવી ભવિષ્યવાણી કરી હતી, વાંચો

માફિયા અતીક અહેમદે 19 વર્ષ અગાઉ તેના મૃત્યુ વિશે કેવી ભવિષ્યવાણી કરી હતી, વાંચો

Share On

માફિયા અતીક અહેમદે 19 વર્ષ અગાઉ તેના મૃત્યુ કેવી ભવિષ્યવાણી કરી હતી, વાંચો

માફિયા અતીક અહેમદ (atique ahmed) અને તેના ભાઈ અશરફની 15 એપ્રિલની રાત્રે ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. પોલીસે ત્રણેય આરોપીઓને સ્થળ પર જ પકડી લીધા હતા. આ દરમિયાન અતીક અહેમદનું એક જૂનું નિવેદન સામે આવ્યું છે. 19 વર્ષ પહેલાનું નિવેદન. 2004ની લોકસભા ચૂંટણી પહેલા આપેલા એક ઈન્ટરવ્યુમાં અતીક અહેમદે કહ્યું કે,

એન્કાઉન્ટર થશે…પોલીસ મારી નાખશે અથવા પોતાનો સમુદાયનો કોઈ માથાફરેલો… રસ્તાની બાજુમાં પડેલો મળીશ..

તે સમયે ફુલપુર સંસદીય ક્ષેત્રથી ચૂંટણી લડી રહેલા અતીકે 2004માં ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને આપેલા ઈન્ટરવ્યુમાં આ વાત કહી હતી. અતીક ત્યાં સુધીમાં માફિયા બની ગયો હતો, પરંતુ તે દરમિયાન તે સ્થાનિક પત્રકારો સાથે એક નેતા તરીકે વાત કરતો હતો. આવા જ એક ઈન્ટરવ્યુમાં અતીકને પૂછવામાં આવ્યું કે તે ગુનેગાર છે, તો તેની વાર્તા કેવી રીતે સમાપ્ત થશે? આના જવાબમાં અતીકે કહ્યું હતું કે,

બધા જાણે છે કે શું થવાનું છે. તેને ક્યાં સુધી અટકાવી  શકાય… (ચૂંટણી લડવી) તેનો એકમાત્ર સંઘર્ષ છે.

ગેંગસ્ટર અતીક અહેમદ અને તેના ભાઈ અશરફની 15 એપ્રિલની રાત્રે હત્યા કરવામાં આવી હતી. પોલીસે મેડિકલ તપાસ બાદ બંનેને ઝડપી લીધા હતા. હત્યા પહેલા બંને મીડિયા સાથે વાત કરી રહ્યા હતા. આ દરમિયાન ત્રણેય આરોપીઓએ બંને પર ગોળીબાર કર્યો હતો. ફાયરિંગ બાદ ધાર્મિક સૂત્રોચ્ચાર કર્યા. અતીક અને અશરફનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. અને આરોપીઓ સ્થળ પર જ ઝડપાઈ ગયા હતા.

કલોલમાં વેપારીના 52 હજાર રૂપિયા ભરેલું પાકીટ ચોરી ગઠિયો નાસી છૂટ્યો 

ભારત સમાચાર