દારૂ કૌભાંડ મામલે કેજરીવાલ પહોંચ્યા સીબીઆઈ ઓફીસ
દિલ્હી લિકર પોલિસી કેસમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજે CBI સમક્ષ હાજર થવા માટે CBI ઓફિસ પહોંચ્યા છે. કેજરીવાલની સાથે દિલ્હી સરકારના તમામ મંત્રીઓ, AAP સાંસદ અને પંજાબના સીએમ ભગવંત માન પણ CBI ઓફિસ પહોંચ્યા હતા.
આમ આદમી પાર્ટીના વિરોધને ધ્યાનમાં રાખીને દિલ્હી પોલીસે CBI ઓફિસની આસપાસ લગભગ 1000 સુરક્ષા જવાનોને તૈનાત કરવાનો નિર્ણય લીધો છે.
સીબીઆઈ ઓફિસ જતા પહેલા સીએમ કેજરીવાલે કહ્યું કે તેઓ તમામ સવાલોના જવાબ આપશે. ભાજપના નેતાઓ મારી ધરપકડની વાત કરી રહ્યા છે, સીબીઆઈ પર ભાજપનું નિયંત્રણ છે.
દિલ્હીના મુખ્યમંત્રી અને AAPના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ દારૂ કૌભાંડ કેસમાં CBI સમક્ષ તેમની હાજરી પહેલા રાજઘાટ પહોંચ્યા. આ દરમિયાન તેમની સાથે પંજાબના સીએમ ભગવંત માન, રાજ્યસભા સાંસદ સંજય સિંહ, રાઘવ ચઢ્ઢા અને કૈલાશ ગેહલોત સહિત તમામ વરિષ્ઠ નેતાઓ હાજર છે. આ દરમિયાન કેજરીવાલે કહ્યું કે અમે બાપુએ કહેલા અન્યાય અને અત્યાચાર સામે સત્યના માર્ગ પર છીએ. જીત સત્યની જ થશે.