કલોલમાં કોંગ્રેસની પરિવર્તન યાત્રામાં જંગી જનમેદની ઉમટી

કલોલમાં કોંગ્રેસની પરિવર્તન યાત્રામાં જંગી જનમેદની ઉમટી

Share On

ઇન્દ્રનીલ રાજ્યગુરુ ની કોંગ્રેસમાં ફરીથી વાપસી થતા ભરતસિંહ સોલંકી દ્વારા કહેવામાં આવ્યું કે ‘ શામ કા ભુલા સુબહ ઘર વાપસ આયે તો અચ્છી બાત હે’

 

પરિવર્તન સંકલ્પ યાત્રા કલોલ ના છત્રાલ ગામ થી સિંદબાદ હોટલ, ટાવર ચોક થઈ ગણેશ પાર્ટી પ્લોટ ખાતે પહોંચી હતી. પરિવર્તન યાત્રામાં મોટી સંખ્યામાં યુવાનો મહિલા જોડાઈ હતી.મિશન 2022માં 125 બેઠકના લક્ષ્યાંક સાથે કોંગ્રેસ મેદાનમાં ઉતરવાની છે. કોંગ્રેસ સમગ્ર ગુજરાતમાં વ્યાપક જનસંપર્ક અને પ્રજા સુધી વાત પહોંચાડવા માટે 31 ઓક્ટોબરે શરૂ થયેલી પરિવર્તન સંકલ્પ યાત્રા કલોલમાં આવી પહોંચી હતી. આ વિશાળ યાત્રામાં કોંગ્રેસના દિગ્ગજ નેતા ભરતસિંહ સોલંકી, કલોલ ના દબંગ ધારાસભ્ય બળદેવજી ઠાકોર,ચંદનજી ઠાકોર( ધારાસભ્ય, સિદ્ધપુર), કિરીટ પટેલ ( ધારાસભ્ય, પાટણ), સીજે ચાવડા (ધારાસભ્ય,ગાંધીનગર) એ ખાસ હાજરી આપી હતી. આ ઉપરાંત ગાંધીનગર જિલ્લા પંચાયત વિરોધ પક્ષના નેતા રશ્મિજી ઠાકોર પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ કાંતિજી ઠાકોર શહેર પ્રમુખ અશોક પરમાર નગરપાલિકા વિરોધ પક્ષના નેતા સાધુલ્લા ખાન પઠાણ તેમજ કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર પરિવર્તન સંકલ્પ યાત્રામાં વિશાળ સંખ્યામાં કલોલ ની જનતા જોડાઈ હતી. ગણેશ પાર્ટી પ્લોટ ખાતે ભરતસિંહ સોલંકી દ્વારા મીડિયા સાથે વાત કરવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે જનતા ભાજપ સરકારના કાર્યથી ત્રાહિમામ પોકારી ઊઠી છે. તેમજ બેરોજગારીએ માયા મૂકી છે ત્યારે આવનારી ચૂંટણીમાં મોટી બહુમતીથી કોંગ્રેસ જીતીને આવશે તેમજ સરકાર બનાવશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.

– ભારતીય જનતા પાર્ટીના મતે જીડીપી નો મતલબ ચાર કે પાંચ ઉદ્યોગપતિઓનો વિકાસ : ભરતસિંહ સોલંકી

સમગ્ર કાર્યક્રમ દરમિયાન કલોલના ધારાસભ્ય બળદેવજી ઠાકોરે તેમના કાર્યકાળ દરમિયાન પ્રજાના હિતમાં કરવામાં આવેલા દરેક કાર્યની યાદી દર્શાવતી પુસ્તિકા નું વિતરણ કર્યું હતું.

કલોલમાં યોજાયેલ યુવા પરિવર્તન યાત્રાથી કોંગ્રેસનો માહોલ તેજ બન્યો

કલોલ સમાચાર