કલોલ મામલતદાર કચેરીના શૌચાલયમાં ગંદકીના દ્રશ્યો સર્જાયા

Share On

શૌચાલયમાં સાફ સફાઈ ન થતી હોવાના આક્ષેપો સામે આવ્યા……

કલોલના મામલતદાર તેમજ પ્રાંત કચેરીના જાહેર શૌચાલયમાં ઠેર ઠેર ગંદકી જોવા મળી રહી છે. ગંદકીને લીધે દુર્ગંધ આવતી હોવાની પણ ફરિયાદો સામે આવી છે. તેમજ નિયમિત સાફ સફાઈ કરવામાં આવતી ન હોવાના આક્ષેપો લોકો કરી રહ્યા છે.

કલોલ મામલતદાર કચેરી માં હજારોની સંખ્યા માં લોકો પોતાના સરકારી કામ કાજ અર્થે આવતા હોય છે. તેમજ ત્યાંના શૌચાલયની દુર્દશા જોઇને આઘાતની સ્થિતિ અનુભવતા હોય છે. જાહેર શૌચાલયમાં નિયમિત સાફ સફાઈના અભાવે ઠેર ઠેર ગંદકી જોવા મળી રહી છે. લોકો દ્વારા પાન મસાલા ખાઈને શૌચાલયની દીવાલ પર જ પિચકારી મારી દેવામાં આવતા ગંદકીમાં વધારો થયેલ જોવા મળી રહ્યો છે.

 

સાફ સફાઈના અભાવે સરકારી કામ કાજ અર્થે મામલતદાર કચેરીની મુલાકાત લેતા અરજદારોની હાલત કફોડી જોવા મળી રહી છે. વધુ માં સ્વચ્છતા જાળવવા માટે નિયમિત સાફ સફાઈ કરવામાં આવે તેવી માંગ છે.

કલોલ સમાચાર