કલોલના કોલેરા ફાટી નીકળતા તંત્ર એક્શનમાં આવ્યું,જાણો શું કામગીરી કરી 

કલોલના કોલેરા ફાટી નીકળતા તંત્ર એક્શનમાં આવ્યું,જાણો શું કામગીરી કરી 

Share On

કલોલના કોલેરા ફાટી નીકળતા તંત્ર એક્શનમાં આવ્યું,જાણો શું કામગીરી કરી

કલોલમાં રોગચાળો ફાટી નીકળતા ફફડાટ વ્યાપી ગયો છે. કોલેરાના કુલ ૧૧ કરતા પણ વધુ કેસો સામે આવ્યા છે. કોલેરાને કારણે આરોગ્ય ટીમો ઉતારી દેવામાં આવી છે. કલોલમાં કોલેરા ફાટી નીકળતા જિલ્લા કલેકટર દોડી આવ્યા હતા અને સ્થિતિની સમીક્ષા કરી હતી.
કલોલના અસરગ્રસ્ત વિસ્તારમાં આરોગ્ય વિભાગની 35 ટીમો દ્વારા હાઉસ ટુ હાઉસ સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. આ ઉપરાંત ઓઆરએસ અને ક્લોરીનની ટેબ્લેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. સર્વેમાં કુલ ૧૮૬૪ જેટલા ઘરોને આવરી લેવામાં આવ્યા છે.
બીજી તરફ કલોલ નગરપાલિકા અને ઔડાની ટીમોએ લીકેજ બંધ કરવા મથામણ ચાલુ કરી છે. વિસ્તારમાં ક્યાંય પણ પાણીનું લીકેજ હોય તેને બંધ કરવા માટે કામગીરી હાથ ધરવામાં આવી છે. આ ઉપરાંત 19 જેટલી આંગણવાડી અને ત્રણ શાળાઓમાં રજા આપી દેવામાં આવી છે. કલોલના મટવાકુવા,ગુલિસ્તા પાર્ક,અંજુમન વાડી વિસ્તારમાં કોલેરાના કેસ મળી આવ્યા છે.

કલોલ સમાચાર