બળદેવજી ઠાકોરે કપિલેશ્વર મહાદેવનો વિકાસ કરવા વિધાનસભામાં રજુઆત કરી

બળદેવજી ઠાકોરે કપિલેશ્વર મહાદેવનો વિકાસ કરવા વિધાનસભામાં રજુઆત કરી

Share On

કપિલેશ્વર મહાદેવ મંદિરને વિકસાવવા રજૂઆત

 

કલોલના પ્રખ્યાત કપિલેશ્વર મહાદેવ મંદિરને વિકસાવવા ધારાસભ્ય બળદેવજી ઠાકોરે રજૂઆત કરી છે. લાખો લોકોની આસ્થાના કેન્દ્ર સમા આ મંદિરને પ્રવાસન ધામમાં સમાવવાની રજુઆત બળદેવજી ઠાકોરે કરતા લોકોમાં આનંદ વ્યાપી ગયો છે.આ મંદિરનું પૌરાણિક મહત્વ ઘણું છે.

Video :

તેઓએ કહ્યું હતું કે ગુજરાત વિધાનસભામાં આજે પ્રશ્નોત્તરીકાળ દરમિયાન કલોલના પૌરાણિક કપિલેશ્વર મહાદેવને ગુજરાત રાજ્યના પ્રવાશન ધામોની યાદીમાં સમાવી તેના આસપાસના વિસ્તારનાં વિકાસ માટે રજુઆત કરી છે.

કપિલેશ્વર મહાદેવ સાથે લોક માન્યતા જોડાયેલ છે કે અહીં પ્રાચીન કાળમાં કપીલ નામની એક ગાય આપમેળે દરરોજ શિવલિંગ ઉપર પોતાના આંચળના દુધનો અભિષેક કરતી હતી. ત્યારે લોક આસ્થા સાથે જોડાયેલ આ સ્થળનો વિકાસ થાય તો બહુ મોટુ પ્રવાસન ધામ બની શકે તેમ છે.આ મંદિરનું પૌરાણિક મહત્વ ઘણું છે.

 

બળદેવજી ઠાકોરે વિધાનસભામાં રોગચાળા મુદ્દે આક્રમક રજુઆત કરી,વાંચો શું કહ્યું

કલોલ સમાચાર