રોગચાળામાં બાળકના મૃત્યુ મામલે કાર્યવાહી કરવા કોણે કલેક્ટરને નિર્દેશ આપ્યો

રોગચાળામાં બાળકના મૃત્યુ મામલે કાર્યવાહી કરવા કોણે કલેક્ટરને નિર્દેશ આપ્યો

Share On

 બાળકના મૃત્યુ મામલે કાર્યવાહી કરવા કોણે કલેક્ટરને નિર્દેશ આપ્યો

કલોલમાં ભીષણ રોગચાળો ફાટી નીકળ્યો હતો. જેમાં નવ માસના એક બાળકનું પણ મૃત્યુ થયું હતું. જેને લઈને રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગમાં પણ ફરિયાદ કરવામાં આવી હતી. જેથી આયોગે  કાર્યવાહી કરવા કલેકટરને નિર્દેશ આપ્યો છે.

કલોલમાં રોગચાળો ફેલાયા બાદ એક બાળકનું મૃત્યુ થયું હતું. આ અગાઉ જુલાઈમાં પાંચ લોકોના મોત થયા હતા. જેને લઈને માનવ અધિકાર આયોગ દ્વારા કલેકટર પાસેથી રિપોર્ટ માંગવામાં આવ્યો છે. હવે રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગે બીજી વખત ફેલાયેલ ઝાડા-ઉલટીના રોગચાળામાં મરણ પામેલા મિલન દિલીપભાઈ શ્રીમાળીના માનવ અધિકાર ભંગના બનાવમાં આઠ અઠવાડિયાની અંદર કાર્યવાહી કરવા જિલ્લા કલેકટરને નિર્દેશ આપ્યો છે. અત્યાર સુધી કલોલમાં ફેલાયેલ રોગચાળા મામલે ત્રણથી વધુ પિટિશન ફાઈલ કરાઈ છે.

રોગચાળા સામે નાગરિકોના માનવ અધિકારોનું રક્ષણ કરવામાં સદંતર નિષ્ફળ રહેલ તંત્રના અધિકારીઓ સામે ફોજદારી અને ખાતાકીય પગલાં ભરવા માત્ર રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગમાં માનવ અધિકાર કાર્યકર્તા કાંતિલાલ પરમાર દ્વારા માનવ અધિકાર ભંગની ઓનલાઇન પિટિશન દાખલ કરવામાં આવી હતી .

કલોલ પૂર્વમાં ખાડા રાજ, પાઇપ લાઈન બદલવાની કામગીરીથી લોકો બેહાલ,કમરના મણકા ભાગી નાખ્યા 

 

કલોલની A ટૂ Z લેટેસ્ટ અપડેટ્સ મેળવવા અહીં ક્લિક કરી અમારી એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો

અમારી યુટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરવા અહીં ક્લિક કરો

અહીં ક્લિક કરી અમારા ફેસબુક પેજ સાથે જોડાવ 

 

કલોલ સમાચાર