કલોલમાં 7.83 લાખ રૂપિયાની ચોરી થતા ચકચાર,લોકોમાં ભય 

કલોલમાં 7.83 લાખ રૂપિયાની ચોરી થતા ચકચાર,લોકોમાં ભય 

Share On

કલોલમાં 7.83 લાખ રૂપિયાની ચોરી થતા ચકચાર

કલોલમાં એક બંધ મકાનમાંથી 7.83 લાખ રૂપિયા ની માલમત્તા ચોરી થતા ફફડાટ ફેલાઈ ગયો છે. કલોલમાં કપિલેશ્વર મહાદેવ મંદિર સામે આવેલ એપાર્ટમેન્ટમાં ભરતકુમાર ડાયાલાલ પટેલ ના ઘરમાંથી ચોરી થઈ હતી. તસ્કરોએ ઘરમાં ઘૂસીને સોનાના દાગીના તેમજ રોકડ રકમની ચોરી કરી હતી જેને લઇને ચકચાર મચી ગઇ હતી.
કલોલમાં દિન-પ્રતિદિન ચોરીના બનાવો વધતા જાય છે. પોલીસ તંત્ર મૂક પ્રેક્ષક બનીને ફક્ત આ તમાશો જોઈ રહ્યું હોવાનું પ્રતિત થઈ રહ્યું છે જેને લઇને નાગરિકોમાં ભયનો માહોલ પણ સર્જાયો છે. સૌમ્ય એપાર્ટમેન્ટમાં રહેતા ભરતકુમાર પટેલ કામ અર્થે અમદાવાદ ગયા હતા ત્યારે ડ્રાઈવરે ઘરે તેમના દીકરા ને ફોન કરીને કહ્યું હતું દરવાજા ને લોક મારે નથી અને અંદર તિજોરીમાં ઘરનો સામાન વેરવિખેર પડેલ છે તથા તિજોરી નું લોક ખુલ્લું છે અને ચોરી થયેલ હોવાનું જણાય છે.
જેથી તમામ લોકો ઘરે દોડી ગયા હતા ત્યાં જઈને જોયું તો તિજોરીમાં નો સામાન વેરવિખેર હાલતમાં પડયો હતો. તસ્કરોએ સોનાના દાગીના ચોર્યા હતા જેમાં કુલ 5.45 લાખ રૂપિયાના દાગીના તેમજ 2.35 લાખ રૂપિયાની રોકડ રકમની ચોરી થઈ હતી જેને લઇને કલોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે.
 

કલોલની A ટૂ Z લેટેસ્ટ અપડેટ્સ મેળવવા અહીં ક્લિક કરી અમારી એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો

અમારી યુટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરવા અહીં ક્લિક કરો

અહીં ક્લિક કરી અમારા ફેસબુક પેજ સાથે જોડાવ 

કલોલ સમાચાર