શેરથા નજીક વાહનની ટક્કરે નીલગાય ઇજાગ્રસ્ત થતા રેસ્ક્યુ કરાઈ

શેરથા નજીક વાહનની ટક્કરે નીલગાય ઇજાગ્રસ્ત થતા રેસ્ક્યુ કરાઈ

Share On

શેરથા નજીક વાહનની ટક્કરે નીલગાય ઇજાગ્રસ્ત થતા રેસ્ક્યુ કરાઈ

કલોલ : અમદાવાદ-મહેસાણા હાઇવે પર આવેલ શેરથા ગામ પાસેથી નીલગાયને રેસ્ક્યુ કરવામાં આવી હતી. શેરથા હાઇવે પર પસાર થતી નીલગાયને અજાણ્યા વાહનની ટક્કર વાગતા ઇજાગ્રસ્ત થઈને ફસડાઈ પડી હતી. તપાસ કરતા તેનો એક પગ તૂટી ગયો હોવાનું માલુમ થયું હતું. દર્દથી કણસી રહેલ નીલગાય ચાલી શકે તેવી સ્થિતિમાં ન હોવાને કારણે વન વિભાગ તેમજ અન્ય જીવદયા સંસ્થાઓનો સંપર્ક કરવામાં આવ્યો હતો. તેમના દ્વારા નીલગાયને સફળતાપૂર્વક રેસ્ક્યુ કરી વધુ સારવાર માટે ખસેડવામાં આવી હતી.

કલોલની A ટૂ Z લેટેસ્ટ અપડેટ્સ મેળવવા અહીં ક્લિક કરી અમારી એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો

અમારી યુટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરવા અહીં ક્લિક કરો

અહીં ક્લિક કરી અમારા ફેસબુક પેજ સાથે જોડાવ 

કલોલ સમાચાર