છત્રેશ્વર મહાદેવ મંદિરમાં તિરંગા દ્વારા શણગાર કરાયો

છત્રેશ્વર મહાદેવ મંદિરમાં તિરંગા દ્વારા શણગાર કરાયો

Share On

 છત્રેશ્વર મહાદેવ મંદિરમાં તિરંગા દ્વારા શણગાર કરાયો

કલોલ તાલુકાના છત્રાલ ગામના સુપ્રસિદ્ધ તથા પૌરાણિક શ્રી છત્રેશ્વર મહાદેવ મંદિરમાં અધિક માસ શ્રાવણ વદ- ૧૪ ને મંગળવારને દિવસે સ્વતંત્રતા પર્વ નિમિત્તે તિરંગા રૂપી સુંદર શણગાર કરવામાં આવ્યો હતો. જેમાં છત્રાલ ગામ તથા આસપાસના ગામના ધર્મ-પ્રેમી ભાઈ-બહેનોએ દર્શનનો લાભ લીધો અને મંગળવારે સવારે ભક્તજનોએ આરતીનો લાભ લીધો હતો.

આવા અદભુત અધિક માસમાં ભગવાન શિવજી ના અલગ અલગ શણગાર કરવામાં આવે છે. માટે કલોલ તેમજ કલોલ તાલુકાના ભાવિ ભક્તોને આ છત્રેશ્વર મહાદેવ મંદિર ના દર્શન કરવા અવશ્ય લાભ લેવા મંદિરના ટ્રસ્ટ તરફથી ભાવભર્યું આમંત્રણ આપવામાં આવે છે.

કલોલ સમાચાર